બ્રેકિંગ ન્યુઝ
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
VTV / Kejriwal And Bhagwant Mann visit gandhi ashram In Ahmedabad
Kavan
Last Updated: 12:28 PM, 2 April 2022
ગુજરાત પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના પીઢ નેતાઓ ગત મોડી રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જ્યાં બંન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, રાજનીતિની વાતો અમે આશ્રમ બહાર કરીશું. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જેટલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવું છું તેટલી વખત શાંતિ પ્રાપ્ત થાય છે.
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે..
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 2, 2022
દેશના દરેક આમ નાગરિકની સુખાકારીના સંકલ્પને વરેલા આમ આદમી પાર્ટીના નેતાશ્રીઓએ પૂજ્ય ગાંધી બાપુની કુટિર 'હ્ર્દયકુંજ' ખાતે પ્રાર્થના કરી ભાવાંજલિ અર્પણ કરી@ArvindKejriwal @BhagwantMann pic.twitter.com/N7wz16NRm9
1.5 કિલોમીટર સુધીનો રોડ શો કરશે
વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો કરશે . અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો યોજાશે. અમદાવાદમાં 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે.
જાણો 2 દિવસીય પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ:
2 એપ્રિલ (નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો)
સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો
આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે
અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન
કેજરીવાલનો આજનો રોડ શો રૂટ
ખોડિયાર મંદિર, નિકોલ ગામ - જીવનવાડી, શ્રી સરદાર પટેલ પ્રતિમા - ટોરેન્ટ પાવર, ઉત્તમનગર ચાર રસ્તા - સ્વસ્તિક સરિતા સોસાયટી - સરદાર મોલ - એપ્રોચ ચાર રસ્તા - બાપુનગર
3 એપ્રિલ
સવારે 10 વાગ્યે જશે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર
ત્યાર બાદ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે
સાંજે 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે
ગુજરાત માટે AAPની કેવી કવાયત?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો