બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ધર્મ / kalava tie astro tips 3 zodiac signs should not tie kalava gave bad impact on life shani dev get angry
Manisha Jogi
Last Updated: 09:45 AM, 6 October 2023
હિંદુ ધર્મમાં લાલ રંગની નાળાછડીનું વિશેષ મહત્ત્વ છે, જે શુભ માનવામાં આવે છે. માંગલિક કાર્ય દરમિયાન નાળાછડી એટલે કે, રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. રક્ષાસૂત્ર બાંધવાનો ઉદ્દેશ્ય નકારાત્મકતા દૂર કરીને પોઝિટિવિટી જાળવી રાખવાનો છે. શાસ્ત્રો અનુસાર રક્ષાસૂત્ર બાંધવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો માટે રક્ષાસૂત્ર બાંધવું તે હાનિકારક હોઈ શકે છે. આ રાશિના જાતકોએ લાલ રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ. લાલ રક્ષાસૂત્રની જગ્યાએ પીળુ અથવા ગુલાબી રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. શનિદેવના ચરણોમાં સ્પર્શ કરીને કાળો દોરો રક્ષાસૂત્ર તરીકે બાંધી શકાય છે. રક્ષાસૂત્ર કોણે બાંધવું અને કોણે ના બાંધવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાસૂત્રના રંગ અનુસાર તેનું મહત્ત્વ પણ બદલાઈ જાય છે. પૂજા પાઠમાં લાલ, ગુલાબી અને પીળાં રંગના રક્ષાસૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. રક્ષાસૂત્ર બાંધવાથી મંગળદોષ દૂર થાય છે. સૂર્યગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે.
કઈ રાશિના જાતકોએ રક્ષાસૂત્ર ના બાંધવું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ અને મીન રાશિના જાતકોએ લાલ રંગનું રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ. આ રાશિના જાતકોના સ્વામી શનિ ગ્રહ છે. શનિદેવને લાલ રંગ પસંદ નથી. મકર રાશિના જાતકોએ પણ રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ. નહીંતર શનિદેવ નારાજ થઈ શકે છે અને અશુભ ફળ પ્રદાન કરે છે. અશુભ પરિણામથી બચવા માટે શનિદેવને કાળા તલ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં આવતી સમસ્યા દૂર થઈ જશે.
આ રાશિના જાતકોએ રક્ષાસૂત્ર બાંધવું જોઈએ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ, સિંહ અને વૃશ્વિક રાશિના જાતકોએ લાલ રંગનું રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. જેથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. રક્ષાસૂત્ર બાંધવાથી સૂર્ય અને મંગળની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. દોષ ખતમ થઈ જશે અને જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો