બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / jagannath rath yatra 2023 five major interesting facts

Jagannath Rath yatra 2023 / પુરીમાં આજે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, તેની પાછળ રહેલી છે આ 5 ખાસ બાબતો, જે જાણી તમે પણ ચોંકી જશો

Malay

Last Updated: 11:04 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jagannath rathyatra 2023: દર વર્ષે અષાઢી બીજના દિવસે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. પુરી રથયાત્રા માટે લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

 

  • પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ 
  • દર વર્ષે બનાવવામાં આવે છે ભગવાનના નવા રથ
  • લીમડાના લાકડાનો કરાય છે ઉપયોગ
  • સોનાની કુહાડીથી કાપવામાં આવે છે વૃક્ષો

ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે. આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. પુરીની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. પુરીની રથયાત્રામાં દેશ-વિદેશના લોકો ભારે ઉત્સાહથી સામેલ થાય છે. પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ ચાર ધામોમાં થાય છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો, જે જાણીને તમને પણ આશ્ચર્ય થઈ શકે છે.

ભગવાન જગન્નાથજી કરશે રથયાત્રા, જાણો ભગવાન 1 સપ્તાહ માસીના ઘરે શું કરશે | jagannath  puri rath yatra 2019 why jagannath goes to his mausi read interesting facts  story chariot festival

સોનાની કુહાડીથી કપવામાં આવે છે વૃક્ષ
સૌથી પહેલા આપને જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથના રથમાં 16 પૈડાં હોય છે. તેને સામાન્ય રીતે 45 ફૂટ ઉંચા રાખવામાં આવે છે. રથ બનાવવા માટે ખાસ પ્રકારનું લાકડું એટલે કે લીમડાના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલમાં જઈને લીમડાના વૃક્ષોની સૌથી પહેલા મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી સોનાની કુહાડીથી વૃક્ષોને કાપવામાં આવે છે. 

jagannath yatra 2022 know facts about world biggest kitchen and jagannath mandir mahaprasad

બનાવવામાં આવે છે ત્રણ નવા રથ
રથયાત્રા માટે ત્રણ નવા રથ બનાવવામાં આવ્યા છે. એક રથ ભગવાન જગન્નાથ, બીજો રથ બહેન સુભદ્રા અને ત્રીજો રથ ભાઈ બલભદ્ર માટે બનાવવામાં આવે છે. ત્રણેય રથ બનાવવા માટે કુલ 884 વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ રથ બનાવવામાં ખીલી કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રસ્તાઓની કરવામાં આવે છે સાફ-સફાઈ 
રથ તૈયાર કર્યા બાદ રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ યાત્રાની પવિત્રતા માટે કરવામાં આવે છે. જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય છે, ત્યારે 'છર પેહનારા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અંતર્ગત, પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને 'સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે.

ભગવાનને કરાવવામાં આવે છે શાહી સ્નાન
રથયાત્રાના એક પખવાડિયા પહેલા ભગવાન જગન્નાથને શાહી સ્નાન કરાવવામાં આવે છે. આ શાહી સ્નાન પછી ભગવાન અસ્વસ્થ થઈ જાય છે. તેમને આરામ માટે ખાસ રૂમમાં રાખવામાં આવે છે. તેમની સેવાનું ધ્યાન રાખવામાં આવે છે પરંતુ ખાસ વાત એ છે કે ન તો મંદિરના પૂજારીઓ અને ન તો વૈધ તેમની પાસે જાય છે. બે અઠવાડિયા પછી ભગવાન સ્વસ્થ થઈને બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે.

દર 12 વર્ષે બદલવામાં આવે છે મૂર્તિ
પુરીના જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ બદલવાની પરંપરા છે. જ્યારે અહીં મૂર્તિ બદલવામાં આવે છે. તે સમયે ખૂબ જ મુશ્કેલ વિધિ અપનાવવામાં આવે છે. જૂની મૂર્તિને કાઢીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. નવી મૂર્તિના સ્થાપન સમયે ત્યાં ચારેબાજુ અંધારું કરી દેવામાં આવે છે. કોઈ કોઈને જોઈ શકતું નથી અને જે પૂજારીઓ મૂર્તિની સ્થાપના કરે છે, તે સમયે તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને જોવી અશુભ માનવામાં આવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ