બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / J-K: Major tragedy averted in Pulwama, police recover IED from terror associate
Hiralal
Last Updated: 02:53 PM, 7 May 2023
જમ્મુમાં પુલવામામાં આજે એક મોટી દુર્ઘટના બનતાં બનતાં રહી ગઈ. જમ્મુ-કાશ્મીર પોલીસે પુલવામામાંથી 5 કિલો IED વિસ્ફોટક પદાર્થ સાથે આતંકીના મદદગારને ઝડપી પાડ્યો છે. આતંકીના મદદગાર અને પાંચ કિલો વિસ્ફોટક ઝડપાઈ જતાં એક મોટી આફત ટળી ગઈ છે. આતંકીનો મદદગાર કોઈ મોટા હુમલામાં ફિરાકમાં હતો.
J-K: Major tragedy averted in Pulwama, police recover IED from terror associate
— ANI Digital (@ani_digital) May 7, 2023
Read @ANI Story | https://t.co/VQfHCpi29w#Pulwama #IED #PulwamaPolice pic.twitter.com/LhLVNbmIzT
5 કિલો વિસ્ફોટક પદાર્થ સાથે આતંકી ઝડપાયો
આતંકીઓના સહયોગી પુલવામાના અરિગામના રહેવાસી ઈશફાક અહમદ વાનીને પકડવામાં આવ્યો છે. તેના ખુલાસા પર લગભગ 5-6 કિલો આઈઈડી મળી આવ્યા હતા. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને આ આઈઈડી મળી આવવાની જાણકારી આપી છે.
ક્યારે થયો હતો પુલવામાનો ગંભીર હુમલો
ઉલ્લેખનીય છે કે પુલવામા ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ એક આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલામાં આઈઈડી વિસ્ફોટકોથી ભરેલા વાહનને બસ સાથે અથડાવી દીધું હતું. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એક 22 વર્ષીય વ્યક્તિ આદિલ અહમદ ડારની ઓળખ આત્મઘાતી બોમ્બર તરીકે થઈ હતી. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. 26 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં આવેલા એક આતંકવાદી મથક પર હુમલો કર્યો હતો અને ઘણા આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ