બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Isudan Gadhvi's reaction on kailash vijayvargiya statement
Dhruv
Last Updated: 03:58 PM, 20 June 2022
અગ્નિપથ યોજનાને લઇને ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર આમ આદમી પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે. AAP નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ નેતા પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'કૈલાશ વિજયવર્ગીયએ જવાનોનું અપમાન કર્યું છે. AAPની ઓફિસ માટે વિજયવર્ગીયના પુત્રને નોકરી આપવામાં આવશે. અગ્નિપથ યોજના રજૂ કરી છે તે યોજના જવાનોને પસંદ નથી. યોજના સારી હોય તો ધારાસભ્ય અને સાંસદના દીકરાઓથી શરૂઆત થાય. ખેડૂતોને માટે નાપસંદ કૃષિ કાયદો લાવવામાં આવ્યો. 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો ત્યાર બાદ કાયદો પરત લીધો.' મહત્વનું છે કે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે 'અગ્નિવીરોને સર્વિસ બાદ ભાજપ ઓફિસમાં ગાર્ડની નોકરી આપીશું.'
નોંધનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા અગ્નિપથ યોજનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે BJP નેતાઓ આ યોજનાના ફાયદા ગણાવી રહ્યા છે. ઘણી વાર તેમના નિવેદનોના કારણે વિવાદ થતાં આ નેતાઓ બેકફૂટ પર આવી જતાં હોય છે. ત્યારે તાજેતરમાં જ ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ બધાની આગળ નિકળીને જાહેરમાં વટાણા વેરી દીધા હતા, તેમના નિવેદનથી ભારે હોબાળો થયો હતો. કૈલાશ વિજયવર્ગીયે ઈન્દોરમાં કહ્યું હતું કે, ભાજપ ઓફિસમાં અમે જે સિક્યોરિટી રાખીએ છીએ, તેમાં અગ્નિવીરોને અમે પ્રાથમિકતા આપીશું.
#WATCH | I will give preference to an Agniveer to hire him as security in BJP office, even you can...People have faith in armymen: BJP National General Secretary Kailash Vijayvargiya in Indore, Madhya Pradesh pic.twitter.com/6NQoXw2nFv
— ANI (@ANI) June 19, 2022
કૈલાશ વિજયવર્ગીયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત દેશની કેટલીય રાજકીય પાર્ટીઓ તેમના પર માછલા ધોવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, દેશના યુવાનો અને સેનાના જવાનોનું અપમાન તો ન કરો. આપણા દેશના યુવાનો રાત દિવસ મહેનત કરીને ફિઝિકલ ટેસ્ટ પાસ કરે છે. ટેસ્ટ પાસ કરે છે કેમ કે, તેમને સેનામાં જઈને પોતાના સપના પુરા કરી દેશની સેવા કરવા માગે છે. એટલા માટે નહીં કે ભાજપની ઓફિસોમાં ગાર્ડ બનવા માંગે છે.
देश के युवाओं और सेना के जवानों का इतना अपमान मत करो।
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 19, 2022
हमारे देश के युवा दिन-रात मेहनत करके फ़िज़िकल पास करते हैं, टेस्ट पास करते हैं, क्योंकि वो फ़ौज में जाकर पूरा जीवन देश की सेवा करना चाहते हैं, इसलिए नहीं कि वो BJP के दफ़्तर के बाहर गार्ड लगना चाहते हैं। https://t.co/PQ8B30FYHz
વાસ્તવિકતા જોઈએ તો, બિહાર, યુપી અને બાદમાં MPમાં પણ અગ્નિપથ યોજનાને લઈને હોબાળો મચેલો છે. ઈન્દોરમાં સેનામા જવા માગતા યુવાનો સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. રવિવારે કૈલાસ વિજયવરર્ગીયે મીડિયા સાથે વાત કરતા ઈન્દોર ભાજપ ઓફિસ પહોંચ્યા હતા. કૈલાસ વિજયવર્ગીયને તેને લઈને સવાલો કરવામાં આવ્યા હતા. તો તેમણે પહેલા તો આ યોજનાના ફાયદા ગણાવા લાગ્યા હતા. ત્યાર બાદ કહ્યું કે, અગ્નિવીર તરીકે સેવા આપ્યા બાદ તેઓ બહાર આવશે, તો તેમના હાથમાં 13 લાખ રૂપિયા હશે. સાથે જ તેમને અગ્નિવીરનો મેડલ પણ મળશે. કૈલાશ વિજયવર્ગીયે આગળ કહ્યું કે, અમે ભાજપ કાર્યાલયમાં સિક્યોરિટી રાખીશું તો, અહીં પણ અમે અગ્નિવીરોને પ્રાથમિકતા આપીશું.
अग्निपथ को लेकर सारी शंकाए दूर कर दी- भाजपा के कैलाश विजयवर्गीय ने।
— Congress (@INCIndia) June 19, 2022
ये सत्याग्रह इसी मानसिकता के खिलाफ है।#SatyagrahaAgainstAgnipath pic.twitter.com/yUYzPZAZDK
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના આ પ્રકારના નિવેદન બાદ હોબાળો થયો હતો, અને કોંગ્રેસે કહ્યું કે, અગ્નિપથને લઈને તમામ શંકાઓ દૂર કરી દીધી, આ સત્યાગ્રહ આ પ્રકારની માનસિકતા વિરુદ્ધમાં છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના જંતર મંતર પર કોંગ્રેસ પાર્ટી આ યોજનાની વિરુદ્ધમાં સત્યાગ્રહ આંદોલન કરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime