બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Intoxicated truck drivers from Rajasthan are taking the lives of Gujarati
Kishor
Last Updated: 11:11 PM, 20 January 2023
રાજ્યભરમાં તમામ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ લોકો અકસ્માતમાં જીવ ગુમાવનારા અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં અકસ્માતમાં જીલ્લાના જુદા જુદા માર્ગો પર એક વર્ષમાં અકસ્માતમાં 150 લોકોએ જીવ ગુમાવ્યા છે. દર બે દિવસે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થઇ રહ્યું છે.
5 વર્ષમાં ૭૫૦ થી પણ વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત
અરવલ્લી જીલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ૭૫૦ થી પણ વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્ય છે. આ વર્ષની વાત કરવામાં આવે દરરોજ અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ગત વર્ષે અરવલ્લી જીલ્લામાં માર્ગ અકસ્માતોમાં ૧૫૦ લોકોના મોત થયા છે. જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતા અકસ્માતોમાં સરેરાસ દર બે દિવસે અકસ્માતમાં 1 મોત થઇ રહ્યું છે.
૭૫૦ થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા
સૌથી વધુ અકસ્માતો રાજસ્થાન તરફથી આવતી ટ્રકો દ્વારા થાય છે. રાજસ્થાનમાં દારૂની છૂટ હોવાથી ટ્રક ચાલકો ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા છાટકા બની બેફામ વાહનો હંકારે છે પરિણામે અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. અરવલ્લી જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતોમાં થયેલ મોત ના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮ માં ૧૫૬ લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા તા વર્ષ ૨૦૧૯ માં ૧૫૯ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા તા વર્ષ ૨૦૨૦માં ૧૧૭ લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા હતા. વર્ષ ૨૦૨૧માં ૧૬૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. વર્ષ ૨૦૨૨ માં ૧૫૦ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા આમ જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૫૦ થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે.
શામળાજી પોલીસ વિસ્તારમાં આવેલું રંગપુર, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું સાકરિયા અને રાજેદ્રનગર તેમજ મોડાસા ધનસુરા માર્ગ પર સૌથી વધુ અકસ્માત સર્જાય છે. અને અકસ્માતમાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ અકસ્માતો સર્જાય છે જેમાં સૌથી વધુ યુવા વયના લોકોના મોત થઈ રહ્યા છે જે ખુબ જ ચિંતાજનક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime