બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Inflamed by Maulana Madanis controversial statement 'Aum and Allah is one'
Kishor
Last Updated: 04:45 PM, 12 February 2023
દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમાં-એ-હિન્દના અધિવેશનમાં છેલ્લા દિવસે મોલાના અરશદ મદનીના નિવેદનથી મોટાપાયે બબાલ થઈ છે. મૌલાના મદનીનાનું સામે આવેલ “ઓમ અને અલ્લાહ એક” નિવેદનથી હાલ તો ધર્મગુરૂ ભડક્યા છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું હતુ જ્યારે તેઓ આરએસઆસ ચીફ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર જવાબ આપી રહ્યા હતા. આરએસઆસ ચીફના નિવેદનની જો વાત કરીએ તો તેમણે કહ્યુ હતુ કે હિંદુ અને મુસ્લિમોના પૂર્વજો સમાન છે. આ આરએસએસ ચીફના નિવેદનના જવાબમાં મૌલાના મદનીએ કહ્યું કે, પૂર્વજો હિંદુ ન હતા તેઓ મનુ એટલે કે આદમ હતા. આ નિવેદન બાદ અધિવેશનમાં આવેલા અલગ અલગ ધર્મગુરૂઓ મંચ છોડી વિરોધમાં જતા રહ્યા હતા. મહત્વનું છે કે જમીયત ઉલેમા-એ-હિંદના અધિવેશનના આખરી એટલે કે છેલ્લા દિવસે આવેલા આ નિવેદનથી ભારે હોબાળો થયો હતો.
ધર્મગુરૂએ કર્યો વિરોધ
મૌલાના મદનીના આવેલા વિવાદિત નિવેદનના કારણે અધિવેશનમાં આવેલા ધર્મગુરૂઓએ વિરોધ કર્યો હતો. વિરોધ એ પ્રકારે હતો કે તેઓ આ અધિવેશનમાં સ્ટેજ છોડી જતા રહ્યા હતા. આ દરમિયાન જૈન મુની લોકેશે વિરોધ કરતા જણાવ્યું હતુ કે આ પ્રકારના સમેલન લોકોને જોડવા માટે થાય છે અને આ પ્રકારના નિવેદન કેટલા અંશે વ્યાજબી કહેવાઈ. આમ કહી તેઓ મંચ પરથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ અન્ય સંતો અને ધર્મગુરૂ પણ સ્ટેજ પર જતા રહ્યા હતા.
દિલ્હીના રામલીલા મેદાનમાં સંમેલન
મહત્વનું છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં આ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમાં છેલ્લા દિવસે મંચ પરથી મૌલાના મદનીએ કહ્યું કે, મે પુછ્યુ કે જ્યારે શ્રીરામ ન હતા, શિવ ન હતા કે બ્રહ્મા પણ ન હતા તો ત્યારે મનુ પુજતા કોને હતા ? ત્યારે કોઈ કહે છે કે તે શિવને પુજતા હતા જ્યારે કોઈ કહે છે મનુ ઓમને પુજતા હતા. ત્યારે કહ્યુ કે ઓમ કોણ છે ? તો તેના જવાબમાં ઘણા ઓછ લોકોએ કહ્યુ કે તેનો કોઈ રંગ કે રૂપ નથી, તે દુનિયામાં બધી જગ્યા પર છે. અરે ભાઈ અમે તેને જ તો અલ્લાહ કહીએ છીએ, જેને તમે ઈશ્વર (ભગવાન) કહો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો