બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Indias tallest residential building is located at Worli Mumbai
Kishor
Last Updated: 11:30 PM, 9 July 2023
બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે તે મોટાભાગના લોકો જાણે છે. પરંતુ ભારતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ બિલ્ડીંગ ક્યાં આવેલી છે તે બહુ ઓછા લોકો જાણતા હશે! તો તમારા આ સવાલનો જવાબ આપી દઈએ. ભારતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ બિલ્ડીંગ મુંબઈના વર્લી ખાતે આવેલી છે. જેનું 2007 થી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી આ કામ પૂર્ણ થયું નથી. એક યા બીજા કારણોને પગલે કામમાં હંમેશા અડચણ ઊભી થાય છે અને કામ સંપૂર્ણપણે તૈયાર થયું નથી. આ ઈમારત સમયાંતરે ચર્ચામાં આવી રહી છે. નિર્માણની વાત રસપ્રદ અને ઉદાસી બને છે. 2007માં શરૂ થયેલા આ બાંધકામના પ્રોજેક્ટનો પાયો વિકાસ કાસલીવાલએ નાખ્યો હતો. જે રિયલએસ્ટેટ ડેવલોપર છે અને ભૂતકાળમાં શ્રીરામ અર્બન ઇન્ફ્રાના પ્રમોટર પણ રહી ચૂક્યા છે.
2013માં આ બિલ્ડિંગમાં એક ફ્લેટની બુકિંગ કિંમત 27 કરોડ રૂપિયા હતી
મહત્વનું છે કે આ બિલ્ડિંગમાં કુલ 72 માળ છે.આ ઈમારતને બનાવવામાં લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એક પ્રીમિયમ રહેણાંક મકાનનો સમૂહબછે. કારણ કે તે ભારતની સૌથી ઊંચી રહેણાંક ઇમારત છે. અહીંના ફ્લેટની કિંમતની વાત કરવામાં આવે તો 2013માં આ બિલ્ડિંગમાં એક ફ્લેટની બુકિંગ કિંમત 27 કરોડ રૂપિયા હતી. ત્યારબાદ આજે સૌથી સસ્તા ફ્લેટની કિંમત પણ 40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
1000 કરોડ રૂપિયાનું કૌભાડ
કાસલીવાલના આરોપ પ્રમાણે લગાવ્યો હતો કે આ બિલ્ડિંગના નિર્માણમાં 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. બાદમા વિવાદમાં સપડાયેલા પ્રોજેકટનો મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટ દ્વારા બાંધકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. મામલો આગળ વધતો ગયો અને પ્રોજેક્ટનો ખર્ચ દરરોજ વધતો ગયો હતો. આથી પ્રોજેક્ટના પ્રમોટર શ્રીરામ અર્બન ઈન્ફ્રા પોતે જ નાદારી નોંધાવી દેતા કંપનીએ ઇન્ડિયાબુલ્સ પાસેથી લોન લીધી બાદમાં હરાજીમાં નવા પ્રમોટર ઓનેસ્ટ શેલ્ટર પ્રાઇવેટ લિમિટેડ બન્યા હતા. જેતે સમયે પ્રોજેક્ટ 2022ના અંત સુધીમાં પૂરો થવાનો હતો. જોકે બાંધકામ હજુ સંપન્ન થયું નથી!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો