બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:12 AM, 25 March 2024
Inter-Parliamentary Union Meeting : સંયુક્ત રાષ્ટ્રના જિનીવા કાર્યાલયમાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે પાકિસ્તાનને આતંકવાદી ફેક્ટરી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતને ભાષણ આપવાને બદલે ઈસ્લામાબાદે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરતી આ આતંકી ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ. આ સાથે તેમણે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.
ADVERTISEMENT
રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ IPUની 148મી બેઠકમાં બોલી રહ્યા હતા ત્યારે ભારત પર પાકિસ્તાનની ટિપ્પણીને નકારી કાઢતાં હરિવંશે કહ્યું, લોકશાહીનો નબળો ટ્રેક રેકોર્ડ ધરાવતા દેશ માટે અમને ભાષણ આપવું હાસ્યાસ્પદ છે. પાકિસ્તાને આવા આક્ષેપો અને વર્ણનો સાથે IPU જેવા મંચનું મહત્વ ઘટાડ્યું ન હોત તો સારું થાત. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને હું ભાગ્યશાળી છું કે, ઘણા દેશોએ ભારતીય લોકશાહીનું અનુકરણ કરવા માટે એક મોડેલ ગણ્યું છે.
An Indian Parliamentary delegation led by Rajya Sabha's Deputy Chairman, Harivansh, holds a bilateral meeting with Thailand's Parliamentary delegation on the sidelines of the 148th Assembly of Inter-Parliamentary Union (IPU) in Geneva. During the meeting, the two sides discussed… pic.twitter.com/pcAcKfglLY
— DD India (@DDIndialive) March 24, 2024
ADVERTISEMENT
જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ
હરિવંશે કાશ્મીરને લઈ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોનો સંબંધ છે, તેઓ હંમેશાથી ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે.જૂઠ્ઠાણા અને પ્રચારની માત્રા આ હકીકતને બદલી શકશે નહીં. તેના બદલે પાકિસ્તાનને તેની આતંકવાદી ફેક્ટરીઓ બંધ કરવાની સલાહ આપવી જોઈએ. જેઓ માનવાધિકારની હિમાયત કરવાનો દાવો કરતી વખતે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી અસંખ્ય આતંકવાદી હુમલાઓ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કંગના રનૌતને કેમ મળી લોકસભાની ટિકિટ? આ એક ચીજ કામ લાગી ગઈ, દ્વારકાથી સંકેત
આ સાથે હરિવંશે તેમની ટિપ્પણીમાં IPU સભ્યોને યાદ અપાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય, મદદ અને સક્રિયપણે સમર્થન આપવાનો ઇતિહાસ ધરાવે છે. તેમણે કહ્યું, મને યાદ અપાવવા દો કે, વૈશ્વિક આતંકવાદનો ચહેરો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં મળી આવ્યો હતો. આ દેશે સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને આશ્રય આપ્યો છે, જેના પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે, ઈસ્લામાબાદ તેના લોકોના કલ્યાણ માટે યોગ્ય પાઠ શીખશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.