બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / In this village of Gujarat, there is no rakshabandhan, only fourteen sisters tie rakhi.
Vishal Khamar
Last Updated: 07:16 PM, 29 August 2023
ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવ ની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈ ની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે, જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. એટલે કે રક્ષાબંધનનાં એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનનાં એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓનાં લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનનાં એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરે છે.
વર્ષો પહેલાંની પરંપરા આજે પણ અકબંધ
સમગ્ર દેશમાં આવતી કાલે રક્ષાબંધન ઉજવાશે. પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષા બંધન ઉજવાઈ રહ્યું છે. વર્ષો પહેલાંની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે. ચડોતર ગામમાં આજથી 200 300 વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો કાબુમાં આવતો ન હતો. જેના લીધે લોકોના મોત પણ થયા હતા. ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો અને ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા.
પૂજારીએ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસનાં દિવસે કરવા વડીલોને સૂચન કર્યું
ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું. વડીલોનું માનવું છે કે પૂજારીને માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું. જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે ઉજવવાનું નક્કી કર્યું. ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે. જોકે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે કે રક્ષાબંનની ઉજવણી એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime