બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the case of the Morbi bridge disaster, the system has announced the help line number
Vishnu
Last Updated: 10:42 PM, 30 October 2022
મોરબીમાં આજે ખુબ મોટી દુર્ઘટના બની છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. 300થી વધુ જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હોવાની સંભાવના છે..આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હર્ષ સંઘવીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીની સમીક્ષા કરી છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા
તંત્રએ દુર્ઘટનામાં ફસાયા હોય કે ગુમ થયા હોય તેમના પરિવારજનોને કરી અપીલ
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
60થી વધુ લોકોના મોત
મોરબીમાં મચ્છુ નદી પર મોટી દુર્ઘટના સર્જાઇ હતા હાહાકાર મચ્યો છે. 5 દિવસ પહેલા જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ આજે તૂટી પડતાં અનેક લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે આંકડો ઘણો મોટો હોવાની ચર્ચા ઘટનાસ્થળે થઈ રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને તાત્કાલિક મોટા આદેશ આપ્યા છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી રવાના થઇ છે. એટલુ જ નહિ મોરબીની દુર્ઘટનાને પગલે પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને રદ્દ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સીધા મોરબી જવા રવાના થયા છે. તથા ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના
હાલ તો તંત્ર દ્વારા બચાવ અને રાહતની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીની 10, રાજકોટની 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ગાંધીનગરથી NDRFની 2 ટીમ મોરબી જવા રવાના થઈ ચૂકી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે વળતર જાહેર કર્યું
મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા PMNRF તરફથી 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયાની સહાય અને દુર્ઘટનામાં ઘાયલોને લોકોને રૂ. 50,000ની જાહેરાત કરાઇ છે.
500થી વધુ લોકો પુલ પર હતા અને પુલ તૂટ્યા
મોરબીનો રાજાશાહી વખતનો ઝૂલતો પુલ તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત 500 લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં ખાબક્યા હતા.
અમિત શાહે સંઘવી સાથે કરી વાતચીત
મોરબીમાં થયેલ મોટી દુર્ઘટના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પીડિતોને તાત્કાલિક સારવાર આપવા માટે તંત્રને કડક આદેશ આપ્યા હતા. આ સિવાય કેન્દ્રથી NDRFની ટીમોને ઘટનાસ્થળે પહોંચવાના આદેશ પણ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યા છે.
PM મોદીએ ઝડપથી તમામ શક્ય મદદ આપવા કર્યો આદેશ
મોરબીની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચિત કરી હતી.આ મામલે અન્ય અધિકારીઓ તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે. વધુમાં પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના અંગે ટ્વિટ કર્યું છે. જેમા તેમણે જણાવ્યું કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું. મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ