બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / વિશ્વ / In G20, Joe Biden also spoke with PM Modi on the nijjar issue of Khalistan, claims the report
Priyakant
Last Updated: 09:47 AM, 22 September 2023
India Canada News : કેનેડા અને ભારત વિવાદ વચ્ચે દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે સામે આવ્યું છે કે, તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલ G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ બિડેન સિવાય અન્ય નેતાઓએ પણ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.
એક ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્ત માહિતી શેર કરવા માટે રચાયેલા 'ફાઈવ આઈઝ' ગ્રુપના ઘણા સભ્યોએ પણ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર મુદ્દે વાત કરી હતી. કેનેડા ઉપરાંત 'ફાઇવ આઇઝ' ગ્રુપમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેનો સમાવેશ થાય છે. જોકે નોંધનીય છે કે, ખનગી મીડિયાના આ અહેવાલ પર હજુ સુધી અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ વિવાદ
હકીકતમાં તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે, કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. માહિતી એ પણ સામે આવી છે કે, G20 કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ પીએમ મોદી સાથે આ મુદ્દે વાત કરી હતી. ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રુડોના કહેવા પર અન્ય દેશોના વડાઓએ PM મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે શું કહ્યું ?
આ તરફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે 21 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, અમેરિકા આ મુદ્દાને લઈને ભારત અને કેનેડાના સંપર્કમાં છે અને અમેરિકા આ મામલે ભારતને કોઈ 'વિશેષ છૂટ' આપી રહ્યું નથી. તેમણે કહ્યું કે, અમેરિકા કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસનું સમર્થન કરે છે.
ભારતે કેનેડાના આરોપો નકાર્યા
આ તરફ ભારતે કેનેડાના આરોપોને નકારી કાઢ્યા છે. દરમિયાન આ મુદ્દાને લઈને કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. ભારતે કેનેડાના વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા છે અને કેનેડાને ભારતમાં મોકલવામાં આવેલા તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ કહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે પશ્ચિમી દેશોને મૂંઝવણમાં મુકી દીધા છે કારણ કે કેનેડા લાંબા સમયથી તેમનું સાથી છે, જ્યારે આ દેશો ચીનના વર્ચસ્વનો સામનો કરવા માટે ભારતને સાથે સંબધ વધારી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime