બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / વિશ્વ / In America again on the target of Hindu temple Khalistanis, wrote slogans against PM Modi
Priyakant
Last Updated: 09:48 AM, 5 January 2024
America Hindu Temple : અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓએ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે ખાલિસ્તાનીઓએ મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા છે. અમેરિકામાં હિંદુઓ માટે કામ કરતી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા હુમલાની માહિતી આપવામાં આવી છે.
મંદિરના નેતાઓના સંપર્કમાં હિન્દુ સંગઠન
એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ હવે શેરાવલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. HAF એટલે કે હિંદુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું છે કે, તે અમેરિકન સુરક્ષા કર્મચારીઓ, નાગરિક અધિકાર કાર્યકરો તેમજ મંદિરોનું નેતૃત્વ કરનારા લોકોના સંપર્કમાં છે.
આ પહેલા કેલિફોર્નિયામાં પણ બની ઘટના
મહત્વનું છે કે, આ પહેલા 22 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે. ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવી હતી.
વાંચો વધુ: એલન મસ્ક સહિત અનેક બિઝનેસમેન આતંકીઓના નિશાને! અન્ય નામ પણ ચોંકાવનારા, જાણો સિક્રેટ પ્લાન
સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે. આ માહિતી નેવાર્ક પોલીસ તેમજ નાગરિક અધિકાર અધિકારીઓને આપવામાં આવી હતી. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને કહ્યું હતું કે તે આગ્રહ કરી રહ્યું છે કે, પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરે.
કેનેડામાં પણ કરાઇ હતી મંદિરમાં તોડફોડ
નોંધનિય છે કે, આવી ઘટનાઓ અમેરિકાની સાથે સાથે કેનેડામાં પણ ઘણી વખત બની છે. તાજેતરમાં કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મધરાતે સરે શહેરમાં સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ અંગેના જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા. આરોપીની આ હરકત મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવી દીધા હતા. વાદળી પાઘડી પહેરેલા વ્યક્તિએ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવ્યા હતા. આ પછી બંને ત્યાંથી ભાગી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime