બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અમદાવાદ / High Court allows Pragnesh Patel, father of the accused in the ISKCON Bridge accident case, to enter Ahmedabad
Dinesh
Last Updated: 06:48 PM, 25 January 2024
ISKCON bridge accident case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે. અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરાઈ હતી. જે અરજી જસ્ટીસ એમ આર મેંગડે ગ્રાહ્ય રાખી છે.
કોર્ટે શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી
પ્રજ્ઞેશ પટેલએ અરજીમાં પોતાની પત્ની બીમાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથો સાથ પોતાના વ્યવસાય અમદાવાદ શહેર સાથે સંકળાયેલો હોવાથી અનેક અગવડતાઓ પડતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. આ તમામ બાબતોને ગ્રાહ્ય રાખી કોર્ટે અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી પણ આપી છે.
અગાઉ શરતી જામીન આપવામાં આવ્યા હતા
અત્રે જણાવીએ કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપવામાં આવ્યાં હતા. તપાસ પૂરી થઈ ગઈ હોવાથી અને કેન્સરની સારવાર ચાલી રહી હોવાની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. જેને લઈ 3 મહિના 11 દિવસ બાદ આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા હતા
વાંચવા જેવું: ગુજરાતનાં 17 પોલીસ જવાનોને પ્રેસિડેન્ટ મેડલ તથા વિશિષ્ટ સેવા મેડલ એનાયત: જુઓ આખું લિસ્ટ
પ્રજ્ઞેશ પટેલ કોણ છે
એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime