બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 11:44 AM, 19 August 2023
હિંદુ ધર્મમાં હરિયાળી તીજનું વિશેષ મહત્ત્વ છે. આજે હરિયાળી ત્રીજ છે, આજે આ વ્રત કરવામાં આવશે. દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિના રોજ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. સુહાગણ મહિલાઓ આ દિવસે વિધિ વિધાન પૂર્વક પાર્વતી માતાની પૂજા કરે છે.
હરિયાળી ત્રીજનું મહત્ત્વ
પૌરાણિક માન્યતા અનુસાર હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવે પાર્વતી માતાનો સ્વીકાર કર્યો હતો. પાર્વતી માતાએ શિવજીને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કારણોસર ભગવાન શિવ અને પાર્વતી માતાના મિલન પર્વ તરીકે આ દિવસ ઊજવવામાં આવે છે, ઉપરાંત વિધિ વિધાન પૂર્વક પાર્વતી માતાની પૂજા કરવામાં આવે છે.
સુહાગણ મહિલાઓ આ વ્રત કરે તો તેમનું વૈવાહિક જીવન સુખમયી રહે છે અને કુંવારી કન્યાઓ સારા વ્રતની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. પ્રાચીન કાળથી હરિયાળી ત્રીજના દિવસે સોળ શ્રૃંગાર અને લીલા રંગના કપડા ધારણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે મહિલાઓ હિંચકા ખાય છે.
ખીરનો ભોગ
હરિયાળી ત્રીજના પાવન અવસરે પાર્વતી માતા અને ભગવાન શિવને ચોખા અને દૂધથી બનેલ ખીરનો ભોગ લગાવો. ત્યાર પછી તે પ્રસાદ તરીકે તે ખીર ગ્રહણ કરો અને પતિને પણ આ ખીર આપો. આ પ્રકારે કરવાથી દાંપત્ય જીવનમાં મિઠાશ આવે છે અને પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે.
ઘેવર
હરિયાળી ત્રીજ પર ઘેવરનું વિશેષ મહત્ત્વ છે. ઘેવરનો ભોગ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ કારણોસર ભગવાન શિવ અને પાર્વતી માતાને ઘેવરનો ભોગ જરૂરથી લગાવવો. આ પ્રકારે કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને વંશ વૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સોજીનો હલવો
ભગવાન શિવ અને પાર્વતી માતાને સોજીનો હલવો અર્પણ કરી શકાય છે. જેથી ભગવાન શિવ અને શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો