બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiralal
Last Updated: 05:57 PM, 7 October 2023
શનિવારે ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી યુદ્ધ શરું થયું છે. પેલેસ્ટાઈની આતંકી જૂથ હમાસના મોટા હુમલા બાદ ઈઝરાઈલ પણ યુદ્ધનું એલાન કરી દીધું છે. શનિવારે સવારે 8 કલાકે હમાસે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેરો પર રોકેટ છોડ્યા હતા. આ રોકેટ ઈઝરાયેલની રહેણાંક ઈમારતો પર પડ્યા હતા. હમાસે ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કરવાનો દાવો કર્યો છે. હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ અલ-દીફે આ હુમલા માટે 3 કારણો આપ્યા છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે કહ્યું કે આ હુમલો આરબ દેશો માટે એક સંદેશ છે જે ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરબ દેશોને અપીલ છે કે તેઓ ઈઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખે કારણ કે ઈઝરાઈલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.
ઈઝરાઈલ પર હમાસના હુમલાના આ 3 કારણ
1. ઈઝરાઈલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેની અપવિત્ર કરી હતી.
2. ઈઝરાયેલની સેના હમાસના સ્થાનો પર સતત હુમલો કરી રહી છે
3. ઈઝરાયેલની સેના અમારી મહિલાઓ પર હુમલો કરી રહી છે
એક જ સ્થળ ત્રણ ધર્મો વચ્ચે વિવાદનું મૂળ
જેરુસલેમ વિશ્વનું એકમાત્ર એવું સ્થાન છે જ્યાં વિશ્વના ત્રણ મુખ્ય ધર્મો ઈસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ પોતાના પવિત્ર સ્થળ તરીકે દાવો કરે છે. ત્રણેય ધર્મો 'ઈબ્રાહિમ'ને ઈશ્વરના પયગંબર માને છે. ઈસ્લામમાં મક્કા અને મદીના પછી જેરુસલેમની અલ અક્સા મસ્જિદ ત્રીજું પવિત્ર સ્થળ છે. બાઈબલ અનુસાર, રાજા સોલોમને લગભગ 1000 બીસીની આસપાસ આ જ જગ્યાએ યહૂદીઓ માટે બે મંદિરો બનાવ્યા હતા. આ મંદિર 'ટેમ્પલ માઉન્ટ' તરીકે ઓળખાય છે. પરંતુ હવે માત્ર એક જ દિવાલ બાકી છે જેને 'વેસ્ટ વોલ' કહેવામાં આવે છે અને તે યહૂદીઓ માટે સૌથી પવિત્ર સ્થળ છે. આ મંદિરોને ભૂતકાળમાં બેબીલોન અને રોમન સામ્રાજ્ય દ્વારા ઘણી વખત તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ખ્રિસ્તી ધર્મગ્રંથ ન્યૂ ટેસ્ટામેન્ટ અનુસાર, ઈસુ ખ્રિસ્તે આ શહેરમાં પોતાનો ઉપદેશ આપ્યો હતો. અહીં જ તેમને વધસ્તંભે જડવામાં આવ્યાં હતા અને પછી તેમણે પુનઃજન્મ લીધો હતો. જેરુસલેમ શહેરની મધ્યમાં એક પ્રાચીન શહેર છે જે 'ઓલ્ડ સિટી' તરીકે ઓળખાય છે. અલ અક્સા મસ્જિદ સંકુલ ઉપરાંત, ખ્રિસ્તી વિસ્તારમાં 'ધ ચર્ચ ઓફ ધ હોલી સેપલચર' છે. આવી સ્થિતિમાં, ત્રણેય ધર્મો જેરુસલેમ પર પોતપોતાના દાવા કરે છે.
અલ-અક્સા મસ્જિદમાં શા માટે વારંવાર વિવાદો થાય છે?
1. 'ટેમ્પલ માઉન્ટ', યહૂદીઓ માટે સૌથી પવિત્ર સ્થળ અને મુસ્લિમો માટે 'અલ-અક્સા મસ્જિદ' અને 'ડોમ ઓફ ધ રોક' એક જ સંકુલમાં સ્થિત છે. જો કે, ટેમ્પલ માઉન્ટના અવશેષ તરીકે માત્ર એક જ દિવાલ બાકી છે, જેને 'વેસ્ટ વોલ' કહેવામાં આવે છે. તેથી જ આ જગ્યાને લઈને યહૂદીઓ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
2. 1967માં ઈઝરાયેલ યુદ્ધ પછી આ વિવાદ વધુ વધ્યો. તેનું કારણ એ છે કે આ યુદ્ધમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે કબજો કર્યો હતો. અગાઉ આ વિસ્તાર જોર્ડનના નિયંત્રણ હેઠળ હતો. જોકે, બાદમાં જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચે સમજૂતી થઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અલ-અક્સા મસ્જિદની અંદરની બાબતો જોર્ડનના ઇસ્લામિક ટ્રસ્ટ વક્ફના નિયંત્રણ હેઠળ હશે અને બાહ્ય સુરક્ષા ઇઝરાયેલ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. આવી પરિસ્થિતિઓમાં, ઘણી વખત ઈઝરાયેલ પોલીસ સુરક્ષા કારણોસર મસ્જિદમાં પ્રવેશ કરે છે. આ યુદ્ધ જેવી સ્થિતિ તરફ દોરી જાય છે.
3. જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચેના કરારમાં એ વાત પર સહમતિ થઈ હતી કે બિન-મુસ્લિમોને મસ્જિદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ તેમને ત્યાં નમાજ પઢવા દેવામાં આવશે નહીં. તેમ છતાં યહૂદીઓ સમયાંતરે નમાજ માટે મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, જેના કારણે તણાવની સ્થિતિ સર્જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime