બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat High Court also in tension over third wave issue! Big instructions to the system, praise to AMC
Mehul
Last Updated: 04:25 PM, 29 December 2021
ગુજરાતમાં વધતા કોરોના અને ઓમિક્રોનનાં કેસથી ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો છે. દિવસભરમાં ડબલથી વધુ કેસ સંક્રમણનાં સામે આવતા ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા હોસ્પિટલનાં વહીવટીય વિભાગને સુ-સજ્જ રહેવા નિર્દેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છે કે,પહેલા જેવી સ્થિતિ ન થાય તેનુ ધ્યાન રાખવુ. સાથોસાથ અમદાવાદ મહાનગર પાલિકાના રસીકરણ અભિયાનને વખાણતા AMCની કામગીરીની પણ નોંધ લીધી. કોરોના વિરોધી રસીકરણ માટે જનતાને પ્રોત્સાહિત કરતા AMCની કામગીરીના કોર્ટે વખાણ કર્યા હતા.અને સાવચેતીના ભાગરૂપે તંત્રની તૈયારીઓ યોગ્ય ગણાવી હતી. યાદ રહે કે, બીજી લહેર વેળા કોરોનાની સ્થિતિ મૂદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી
હાઈકોર્ટનો નિર્દેશ સાથે જ સિવિલ તંત્ર સજ્જ
ગુજરાત હાઈકોર્ટેના નિર્દેશ સાથે જ સિવિલ હોસ્પીટલનું તંત્ર 'એક્ટીવ' થઇ ગયું છે. અને જરૂરી તૈયારીઓ આદરી દીધી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે.. જેથી મેળાવડા અને બિન જરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. સાથે જ જણાવ્યું કે લોકડાઉન કોઈ નિરાકરણ નથી. લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદમાં સંક્રમણ વધ્યું
અમદાવાદમાં માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 182 કેસ નોંધાયા છે. 12 દિવસમાં જ કોરોનાના કેસમાં લગભગ 25 ગણો વધારો થયો છે. 12 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બરે માત્ર 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 206 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 4 જૂને 176 કેસ નોંધાયા હતા. આમ સોમવારે અમદાવાદમાં 178 કેસની સરખામણીએ મંગળવારે વઘુ 4 કેસ નોઘાતા આંક 182 પર પહોંચ્યો છે. મંગળવારે નોંધાયા કેસમાં સૌથી વધુ બોડકદેવ, મણિનગર, થલતેજ અને ચાંદલોડિયાના છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ