બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / gujarat assembly election Arvind kejriwal isudan gadhvi report ahmedabad

રાજનીતિ / ગુજરાતમાં AAP નેતાઓની જાણ બહાર કરાયો સર્વે, રિપોર્ટ જોઈને કેજરીવાલે આપ્યો ઠપકો

Hiren

Last Updated: 04:36 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આપના નેતાઓની જાણ બહાર આપના હાઈકમાન્ડે કરેલો સર્વે નિરાશ કરતો આવ્યો છે. ગુજરાતમાં આપ પાર્ટીનો નબળો રિપોર્ટ આવતા કેજરીવાલે નેતાઓને કડક સૂચના આપી છે.

  • ગુજરાતમાં AAPનું ગ્રાઉન્ડ નબળુ હોવાનો મળ્યો રિપોર્ટ
  • ગ્રાઉન્ડ મજબૂત કરવા કેજરીવાલે આપી કડક સૂચના
  • રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે આપ્યો રિપોર્ટ 

વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે.  ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ગુજરાતમાં AAPનું ગ્રાઉન્ડ નબળું હોવાનો રિપોર્ટ મળ્યો છે.

રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રિપોર્ટ સોંપ્યો છે. છેલ્લા 5 દિવસથી સંદીપ પાઠકની ટીમ સર્વે કરી રહી હતી. ગુજરાત આપના નેતાઓની જાણ બહાર સર્વે કરાયો છે. રિપોર્ટ નબળો આવતા કેજરીવાલે આપના પદાધિકારીઓને ઠપકો આપ્યો છે. ગુજરાતમાં ગ્રાઉન્ડ મજબૂત કરવા કેજરીવાલે કડક સૂચના આપી.ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીનું ધ્યાન દોર્યું છે. ગુજરાતમાં પાર્ટીનો રિપોર્ટ નબળો આવ્યો છે પરંતુ નબળુ હોવાના કારણો ચોંકાવનારા ન કહી શકાય. કારણ કે 2021માં ગુજરાતમાં આપ થોડી મજબૂત થઇ છે, તો ગાંધીનગરમાં સારો વોટ શેર મળ્યો. પંજાબમાં સરકાર બની ત્યારબાદ ગુજરાતના કાર્યકર્તાઓને દોષ મળ્યો છે, હવે ગુજરાત આપ નેતાઓ મહેનત કરી રહ્યા છે. 

મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે ગાંધીઆશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. ત્યારે હવે તેઓ નિકોલ ખાતે રોડ શો કરવા જઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો પહોંચી રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો નિકોલથી બાપુનગર સુધી 1.5 કિલોમીટર સુધીનો AAPનો રોડ શો યોજાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ