બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Friday is a very important day, This day is dedicated to Lord Lakshmi

Shukrawar Upay / વેપારમાં કરવો છે છપ્પર ફાડકે નફો? તો દર શુક્રવારે અપનાવો આ ઉપાય, રહેશો ફાયદામાં

Pooja Khunti

Last Updated: 09:20 AM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukrawar Upay: શુક્રવારનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. જાણો આ દિવસે કયા ઉપાય કરવાથી તમને યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે.

  • જમણા હાથે ફૂલ લઈ માતા લક્ષ્મીને અર્પણ કરો
  • માતા લક્ષ્મીની સામે કપૂરનો દીવો કરો 
  • માતા લક્ષ્મીનાં મંત્રનો જાપ કરો

માતા લક્ષ્મીની પૂજા 
જીવનમાં સુખી થવા માટે શુક્રવારનાં દિવસે નહાવા બાદ સાફ કપડાં પહેરી માતા લક્ષ્મીને નમસ્કાર કરો. જમણા હાથે ફૂલ લઈ માતા લક્ષ્મીને અર્પણ કરો. માટીનાં દીવામાં ઘી ઉમેરી ફૂલની ઉપર દીવો કરો. માતા લક્ષ્મીને લાલ ચુનરી ચડાવો. 

પારિવારિક સંબંધ 
જો તમારા જીવનસાથી અને તમારા માતાનો સંબંધ એકબીજા સાથે સારો ન હોય તો, બંનેનાં કપડમાંથી એક-એક દોરો લઈ બંનેને એકબીજા સાથે બાંધી તેને મંદિરમાં ચડાવી દો. માતા લક્ષ્મીની સામે કપૂરનો દીવો કરી બંનેનાં સારા સંબંધની પ્રાથના કરો. 

જીવનસાથી 
તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ સમસ્યા હોય તો, શુક્રવારનાં દિવસે થોડું દૂધ લો, તેની અંદર ચપટી શાકળ ઉમેરી કૂવામાં અર્પણ કરો. ઘરની બાજુમાં કૂવો ન મળે તો કાચી માટી પર દૂધ નાખો ત્યારબાદ તેના પર થોડી માટી નાખી દો. 

નોકરી 
નવી નોકરી લાગી હોઇ અને તમે તમારા સિનિયર્સને રાજી રાખવા માગતા હોય તો, શુક્રવારનાં દિવસે કોઈ પણ મંદિરની અંદર સવા કિલો ચોખા દાન કરો. 

વાંચવા જેવું: કટ્ટર સ્વાભિમાની હોય છે આ છ રાશિના જાતકો... પોતાની ભૂલ ન હોય તો ક્યારેય નમતું જોતાં નથી, જુઓ આખું લિસ્ટ

જીવનસાથી 
તમારા જીવનસાથીની પ્રગતિ થાય અને તેનો પગાર વધે, તે માટે શુક્રવારનાં દિવસે નહાવા બાદ માતા લક્ષ્મીનાં મંત્રનો જાપ કરો. મંત્ર છે- 'श्रीं ह्रीं श्रीं'. 108 વાર આ મંત્રનો જાપ કરો. 

મકાન-જમીન
મકાન-જમીનને લઈને કોઈ વાદવિવાદ હોય તો, શુક્રવારનાં દિવસે વાદળી અથવા કાળા રંગનાં કપડાં પહેરીને આ મંત્રનો જાપ કરો. મંત્ર છે -'ऊँ शं यो देवि रमिष्ट्य आपो भवन्तु पीतये, शं योरभि स्तवन्तु नः દુર્ભાગ્ય નિવારણ માટે આ અથર્વવેદનો મંત્ર છે.

દુશ્મન 
જો તમે તમારા દુશ્મનથી પરેશાન હોય તો દરરોજ મંદિર જઈ 5 મિનિટ ધ્યાનની મુદ્રામાં બેસો. 

મહેનત 
શુક્રવારનાં દિવસે ભગવાન શિવને નાળિયેર અર્પણ કરવાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થશે. ત્યારબાદ આ નાળિયેરનાં ટુકડા કરી તેને તમારી બારી પર રાખો. બીજા દિવસે આ ટુકડાઓને વહેતા પાણી અથવા કૂવામાં નાખી દો. 

ધનહાની 
તમને સતત ધંધામાં ધનહાનિ થઈ રહી હોય તો, કોઈ પણ નવું કામ કરતા પહેલા તમારી પાસે 2 સફેદ ફૂલ રાખો. જ્યારે કામ થઈ જાય ત્યારે તેને પાણીમાં તરતા મૂકો. 

માતા સરસ્વતીની ઉપાસના 
તમને જરૂરી કામ કરતા સમયે તે કામ ભુલાઈ જતું હોય તો શુક્રવારનાં દિવસે માતા સરસ્વતીની પૂજા કરો. તેમની સામે ઘીનો દીવો કરો અને તેમને પીળાં રંગની મીઠાઈ અર્પણ કરો. 

વિવાહિત સંબંધ 
વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શુક્રવારનાં દિવસે પુષ્પ નક્ષત્રમાં તમારા જીવનસાથી માટે વાદળી રંગનું કપડું ખરીદો. તેને ઘરે લાવ્યા પછી, તે કપડાથી મુઠ્ઠીભર જવના દાણાને સ્પર્શ કરો અને તેને વહેતા પાણીમાં વહેવા દો અને પછી તે કપડું તમારા જીવનસાથીને ભેટ આપો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ