બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / રાજકોટ / Duplicate documents Aadhar card scam Rajkot

ગોરખધંધો / રાજકોટમાં ડોક્યુમેન્ટ વગર 1500 રૂપિયામાં આધારકાર્ડ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ, આવી રીતે કાઢતા હતા કાર્ડ

Hiren

Last Updated: 11:48 PM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભારતના રહેવાસી ન હોય તેવા લોકોના નકલી દસ્તાવેજોના આધારે આધારકાર્ડ કાઢી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં 1500 રૂપિયા લઇને આધારકાર્ડ કાઢી આપતા હોવાનું ખૂલ્યું છે.

  • રાજકોટમાં આધારકાર્ડ કૌભાંડ
  • 1500 રૂપિયામાં નીકળે છે આધારકાર્ડ
  • ખોટા દસ્તાવેજોને આધારે ચાલતું કૌભાંડ

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ બે શખ્સોના નામ છે પ્રકાશ મારવીયા અને સાગર રાણપરા. આ બંન્ને શખ્સો પર આરોપ છે ભારતીય નાગરિક ન હોવા છતા પણ આધારકાર્ડ કાઢી આપવાનો. રાજકોટના રૈયા રોડ પર આવેલા જનસુવિધા કેન્દ્ર પર 1500 રૂપિયા લઇને આ શખ્સોએ મૂળ નેપાળના રહેવાસીનું આધારકાર્ડ કાઢી આપ્યું હતું. જેની પોલીસને જાણ થતા પોલીસે ત્યાં દરોડો કરીને બંન્ને પકડી પાડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ બંન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 30થી 40 આધારકાર્ડ કાઢી આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આધારકાર્ડ માટે કોઇ ડોક્યુમેન્ટ ન હોય તો તેના માટે સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મ રાખવામાં આવ્યુ છે. આ ફોર્મમાં માન્ય MLA, કોર્પોરેટર અને ગેડ્ઝેટેડ ઓફિસરના સહી-સિક્કાના આધારે આ ફોર્મમાં વિગત ભરવાથી આધારકાર્ડ નીકળે છે. આ બંન્ને શખ્સો પરીચિત કોર્પોરેટરોના સહિ સિક્કા કરાવીને આધારકાર્ડ કાઢતા હોવાનું સામે આવ્યુ છે.

હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને છેલ્લા એક વર્ષમાં આ રીતે કેટલા લોકોને આધારકાર્ડ કાઢી આપ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ