બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
VTV / ગુજરાત / સુરત / કપાતર દીકરો બન્યો મા-બાપના મોતનું કારણ, હૃદય કંપાવતી આ કહાની વાંચશો તો તમારું પણ હૈયું ભરાઇ આવશે
Last Updated: 10:05 PM, 9 May 2024
દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે, તેમના ઘરે દીકરો હોય. જે તેમના વૃદ્ધાપામાં સહારો બને. પરંતુ સુરતના એક કપાતર દીકરાના કારણે આજે તેના મા-બાપને આત્મહત્યા કરવી પડી છે. ત્યારે શું છે હૃદય કંપાવતી કહાની. દંપતીએ જેમણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ મોતને વાહલું કહ્યું છે અને આ બધું બન્યું છે કપાતર દીકરાના કારણે. જેને મા-બાપને દેવામાં તો ડુબાળ્યા. પરંતુ વિદેશ ગયા પછી ક્યારેય સંપર્ક સુધ્ધા ન કર્યો.
ADVERTISEMENT
કપાતર દીકરો બન્યો મા-બાપના મોતનું કારણ, હૃદય કંપાવતી આ કહાની જોશો તો તમારું પણ હૈયું ભરાઇ આવશે#Surat #MotherFather #Son #oldage #VTVGujarati pic.twitter.com/T3FdeNqubi
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 9, 2024
મા-બાપનું ઋણ ભૂલ્યો દીકરો
ADVERTISEMENT
ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે. જ્યાં મીરા એવન્યુમાં રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયા અને તેમનાં 64 વર્ષીય પત્ની મુક્તાબેનને આપઘાત કર્યો છે. કારણ એવું છે કે, ચુનીભાઈના દીકરી પીયૂષે 38 લાખનું દેવું થઈ ગયું હતું. જેથી માતા-પિતાએ દાગીના વેચી તેનું કરજ ભર્યું હતું. જે પછી પિયૂષ વ્યવસાય કરવા કેનેડા ગયો. અને માતા-પિતાને ભૂલી જ ગયા. 4 વર્ષમાં એકપણ ફોન ન કર્યો. કે ફોન ઉપાડ્યો નહીં. માતા-પિતા સાથે સંબંધ જ કાપી નાખ્યો. આમ ભૂલી ગયેલા દીકરાના વિરહમાં માતા-પિતાએ પોતાના જ ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટમાં શું લખ્યું હતું. જરા તે પણ સાંભળો.
દીકરો બન્યો દુશ્મન
સરથાણા પોલીસની ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બંનેએ આપઘાત કરતા પહેલાં સુસાઈડ નોટ લખી હતી. સરથાણા પોલીસે સુસાઈડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીં આ કેસમાં એક કપાતર દીકરાની કરતૂતે મા-બાપનો જીવ લીધો છે.. જે મા-બાપે ઉછેર્યો.. જેણે કરજમાંથી બહાર કાઢ્યો. આજે તે જ માતા-પિતાને કરવાન બનાવી પિયુષ પરાયો બન્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT