બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 12:02 AM, 15 September 2023
રંગીલા રાજકોટમાં રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓના આતંકના મામલાએ ભારે ચર્ચા જગાવી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દારૂડિયાઓનો આતંક હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતાબેન શાહનું ચોંકાવનારું નિવેદન આવ્યું છે. ધારાસભ્યએ ખુદ સ્વીકાર કર્યો કે તેમના વિસ્તારમાં દારૂડિયાનો ત્રાસ છે.જો કે આ મામલે પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું.
શું છે સમગ્ર મામલો ?
રાજકોટમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા હતા. શહેરમાં એરપોર્ટ રોડ પરની સોસાયટીના રહીશો દારૂડિયાના ત્રાસથી પરેશાન થયા હોવાના બે દિવસ અગાઉ આક્ષેપ લાગ્યા હતા. રંગ ઉપવન સોસાયટીના રહીશોએ રજુઆત કરી હતી કે અસામાજિક તત્વો નશો કરીને મહિલાઓને અપશબ્દો કહી ધમકી આપે છે.સ્થાનિકો દ્વારા પોલીસને અસામાજિક તત્વો વિરુદ્ધ લેખિતમાં . રજૂઆત કરાઈ હતી. છતાં કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
ધારાસભ્યએ શું કહ્યું વાત?
વોર્ડ નંબર 2માં આવેલ રંગઉપવન સોસાયટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો મત વિસ્તાર છે. હવે આ મામલે ધારાસભ્ય દર્શિતા શાહનું ચોંકાવનારું નિવેદન આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે દારૂ પીને આતંક મચાવનાર ૧૦થી વધુની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. મહિલા ધારાસભ્યએ સ્વીકાર કર્યો કે મારા વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પરપ્રાંતિયો રહેતા હોવાથી ભૂતકાળમાં પણ આવી ફરિયાદ છે તે રહીશો દ્વારા કરવામાં આવી હતી. પોલીસને પેટ્રોલિંગ રાત દિવસ કરવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પણ દાવો કર્યો હતો. રાત્રીના સમયગાળા દરમિયાન આવા લોકો બેફામ બનતા હોવાથી પોલીસને સૂચના આપી આકરી કાર્યવાહીની રજુઆત કરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime