બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / dont make this mistake while planting money plant house vastu tips

માન્યતા / ઘરમાં મની પ્લાન્ટ લગાવો, તો ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીં તો થઇ જશે દરિદ્રતાનો વાસ

Manisha Jogi

Last Updated: 08:22 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરના તમામ રૂમનું નિર્માણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. ઘરમાં શમી, તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ
  • મની પ્લાન્ટ લગાવવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે
  • આવો જાણીએ મની પ્લાન્ટ લગાવવાના વાસ્તુ નિયમ

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. ઘર બનાવવાથી લઈને તેના ડેકોરેશનમાં પણ વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. ઘરના તમામ રૂમનું નિર્માણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. ઘરમાં શમી, તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં છોડ લગાવવા બાબતે વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. છોડની દિશાથી લઈને તેને કઈ જગ્યાએ મુકવો તે શાસ્ત્ર અનુસાર નક્કી કરવામાં આવે છે. 

માનવામાં આવે છે કે, ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી માઁ લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ છોડ લગાવતા સમયે ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો ઘરમાં કંગાળી આવી શકે છે. તો અહીંયા અમે તમને મની પ્લાન્ટ લગાવવાના વાસ્તુ નિયમ વિશે જાણકારી આપી રહ્યા છીએ. 
આ દિશામાં છોડ ના લગાવવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઘરની ઉત્તર પૂર્વ દિશા (ઈશાન ખૂણા) તરફ ના રાખવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિત્ત્વ ગુરુ ગ્રહ કરે છે, જે શુક્રના વિરોધી માનવામાં આવે છે. શુક્ર ગ્રહને વિલાસિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ કારણોસર આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશા તરફ મની પ્લાન્ટ ના લગાવવો જોઈએ. માન્યતા અનુસાર આ દિશામા મની પ્લાન્ટ લગાવવાથી માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 

અગ્નિ ખૂણામાં લગાવો- વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા (અગ્નિ ખૂણા)માં લગાવવો તે શુભ માનવામાં આવે છે. જેનું પ્રતિનિધિત્ત્વ શુક્ર ગ્રહ કરે છે. ભગવાન ગણેશ આ દિશાના દેવતા છે. આ કારણોસર આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 

જમીન સાથે ના અડવું જોઈએ- મની પ્લાન્ટ લગાવતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, મની પ્લાન્ટ જમીનને અડીને ના રહે, જે અશુભે માનવામાં આવે છે. આ કારણોસર મની પ્લાન્ટ વધવા લાગે તો તેની દેખભાળ કરો. 

ક્યારેય સૂકાવો ના જોઈએ- વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારેય સૂકાવો ના જોઈએ અને તેની દેખભાળ કરતા રહો. મની પ્લાન્ટ સૂકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે અને નાણાંકીય નુકસાન થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ