બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Priyakant
Last Updated: 01:41 PM, 16 March 2023
તુર્કીયેમાં ભૂકંપ બાદ હવે પૂરે તબાહી મચાવી છે. બુધવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. ગૃહપ્રધાન સુલેમાન સોયલુએ જણાવ્યું હતું કે, બચાવ ટીમો ત્રણ જગ્યાએ ગુમ થયેલા પાંચ લોકોની શોધમાં છે. સોયલુએ જણાવ્યું હતું કે, દક્ષિણપૂર્વીય પ્રાંત સનલિઉર્ફામાં પૂરથી 12 લોકો માર્યા ગયા હતા, જ્યારે પડોશી આદ્યમાન પ્રાંતમાં બે લોકો માર્યા ગયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર અદિયામાનમાં ભૂકંપમાં બચી ગયેલા પરિવારના કેમ્પમાં પાણી ભરાઈ જતાં પીડિતો ડૂબી ગયા હતા. પડોશી સાનલિઉર્ફા પ્રાંતના ગવર્નર સાલીહ અહાને સ્થાનિક ટેલિવિઝનને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં ચાર લોકોના મોત થયા છે. બચાવ કાર્યકરોને પાછળથી 5 સીરિયન નાગરિકોના મૃતદેહ સાનલિઉર્ફામાં એક એપાર્ટમેન્ટની અંદર અને અન્ય 2 મૃતદેહો એક વાહનની અંદરથી મળ્યા હતા.
Several killed and injured after Massive #floods hit #Sanliurfa, #Turkey -
— Chaudhary Parvez (@ChaudharyParvez) March 16, 2023
This is the same place that was hit by strong #earthquake in 6 Feb.#sanliurfasel #Tsunami #Deprem pic.twitter.com/YObRvQNy22
સાનલિઉર્ફા ટેલિવિઝન દ્વારા જાહેર કરાયેલ એક વિડિયોમાં પૂરથી ભરેલી શેરીઓ અને કાર પાણીમાં વહી જતી જોવા મળી હતી. વીડિયોમાં એક વ્યક્તિને અંડરપાસમાંથી બચાવવામાં આવતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઘણા લોકોને પાણી ભરાયેલા કેમ્પમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભૂકંપમાં બચી ગયેલા લોકોએ આ શિબિરોમાં આશરો લીધો હતો. દર્દીઓને પણ હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે, બે પ્રાંતોમાંના દરેકમાં એક ડઝનથી વધુ ડાઇવર્સ બચાવ કામગીરીમાં સામેલ હતા. ગયા મહિને આ બે પ્રાંતોમાં આવેલા વિનાશક ભૂકંપમાં ઘણા લોકો માર્યા ગયા અને હજારો બેઘર થયા. આવી સ્થિતિમાં પૂરના કહેરથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આશંકા છે કે પૂરના કારણે મૃત્યુઆંક વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime