બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone impact in Saurashtra: 95 talukas inundated in 24 hours,
Malay
Last Updated: 11:14 AM, 14 June 2023
અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું બિપોરજોય જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 290, પોરબંદરથી 350 અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. વાવાઝોડું કચ્છની વધુ નજીક પહોચ્યું છે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 135 કિમીની રહેશે. આ વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌછી વધારે વરસાદ દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દ્વારકા તાલુકામાં 4, કલ્યાણપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના અન્ય 28 તાલુકામાં 1થી 2.5 વરસાદ નોંધાયો છે.
સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના ગામડાઓમાંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે, જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. ગામના લોકો પોતાનો સામાન, ઘર અને જાનવર છોડવા માંગતા નથી.
ST વિભાગને નડ્યું વાવાઝોડાનું વિઘ્ન
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સકંટ છે. ત્યારે હવે વાહન વ્યવહાર પર પણ વાવાઝોડાની અસર થઈ છે. ST વિભાગે 3 દિવસ માટે કોસ્ટલ રૂટની બસો રદ કરી છે. સાબરકાંઠા ST વિભાગે કોસ્ટલ રૂટની બસો બંધ કરી છે. હિંમતનગર ડિવિઝનના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના 8 ડેપોના રૂટ બંધ કરાયા છે. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, માણસા ડેપોના રૂટ બંધ કરાયા છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, ખંભાળિયા જતી બસોના રૂટ બંધ કરાયા છે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ બસના રૂટ શરૂ કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime