બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / corona virus is also founded in water
ParthB
Last Updated: 08:11 PM, 25 May 2021
દિલ્હીમાં ત્રણ જગ્યાએથી લેવામાં આવેલ સેમ્પલમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યું
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ પાણીમાં પણ કોરોના વાયરસ મળ્યો છે. દિલ્હીમાં ત્રણ જગ્યાએથી લેવામાં આવેલ સેમ્પલમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. હવે પાણીમાં ફેલાયેલ વાયરસથી મનુષ્યમાં કેટલી અસર થશે, તે વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. SGPGIનો માઇક્રોબાયોલજી વિભાગ આ રિસર્ચ કરી રહ્યું છે. ઘણી નદીઓમાં મૃતદેહો તણાવ્યાંબાદ ICMR અને WHOએ દેશભરમાં આ રિસર્ચ કરવાનું શરૂ કર્યું છે.
ભવિષ્યમાં આખા દેશમાં આ સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે
આ માટે દેશભરમાં 8 સેન્ટર બનાવવામાં આવ્યા છે. યુપીની સેન્ટર SGPGI એ બનાવ્યું છે. લખનઉમાં ઘણા સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. એટલે જ અહિયાં પાણીમાંથી સેમ્પલ લેવાની યોજના બનાવી છે. ત્રણ સેમ્પલમાંથી એક સેમ્પલમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાણી દ્વારા માનવને કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે કે નહીં તેના પર રિસર્ચ કરવું પડશે. ભવિષ્યમાં આખા દેશમાં આ સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.
ICMR-WHO દ્વારા દેશભરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા
SGPGIના માઇક્રોબાયોલજી વિભાગના પ્રોફેસર ઉજવલા ઘોષલ દ્વારા જણાવવામાં આવ્યું કે ICMR-WHO દ્વારા દેશભરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. લખનઉમાં એવા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા છે જયાં આખી સોસાયટીનું પાણી આવતું હોય. હાલમાં આ પ્રાથમિક લેવલનું રિસર્ચ ચાલી રહ્યું છે પણ ભવિષ્યમાં આખા દેશમાં આ રિસર્ચ શરૂ કરવામાં આવી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે વ્યક્તિના મળમાં રહેલ પાણીમાં પણ ભળી શકે છે. આ બધો મળ ગટર દ્વારા નદીઓમાં જઈ રહ્યો છે. હવે આ કારણે વ્યક્તિઓમાં વાયરસ ફેલાશે કે નહીં તે માટે રિસર્ચ ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ