બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / chamoli namami gange project many people feared dead due to electrocution
Malay
Last Updated: 01:48 PM, 19 July 2023
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગવાથી 10 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે. ચમોલી દુર્ઘટના પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
#WATCH | Uttarakhand: 10 people died and several were injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval pic.twitter.com/QKC5vpvbF5
— ANI (@ANI) July 19, 2023
હોસ્પિટલમાં ડોક્ટરોએ કર્યા મૃત જાહેર
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટ સાઇટ પર કામદારો કામ કરી રહ્યા હતા આ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટ્યા બાદ કરંટ લાગતા 10 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જે બાદ તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
ચમોલીના એસપી પરમેન્દ્ર ડોભાલે જણાવ્યું કે ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાથી 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર લોકોની ભીડ જામી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે.
ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ
અન્ય કામદારો ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ નિગમી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો દુર્ઘટનાની જાણ થતાં જ પ્રોજેક્ટના કામને અટકાવી દેવામાં આવ્યું છે. હાલ બચાવ અને રાહત માટે ટીમો ઘટના સ્થળે દોડી આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime