બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / cental government big decision ed investigation gst related money laundering case

BIG NEWS / હવે GSTમાં પણ જો ગડબડી કરી તો સીધી ED જ કરશે કાર્યવાહી: મોદી સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય

Malay

Last Updated: 08:51 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે ED હવે ગેરરીતિ કરનારાઓ સામે કાર્યવાહી કરી શકશે.

 

  • GST સંબંધિત કેસની તપાસ કરી શકશે ED
  • મની લોન્ડરિંગનો નોંધી શકે છે કેસ 
  • કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા GST ચોરીને લઈને મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)ને PMLA હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે શનિવારે મોડી રાત્રે નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મતલબ કે હવે ED GST સંબંધિત બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરી શકશે. ED GST ચોરી કરનાર પેઢી, વેપારી અથવા સંસ્થા સામે સીધી કાર્યવાહી કરી શકશે.

GST નેટવર્કને PMLA હેઠળ લાવવાનો નિર્ણય
સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે GSTમાં ગડબડ કરનારા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પેઢીઓ સામે ED કાર્યવાહી કરી શકશે. આ સાથે જ GST કલેક્શનમાં થનારી અનિયમિતતાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાશે. કારણ કે GST ગુનાઓની તપાસ ED મની લોન્ડરિંગના સ્વરૂપમાં કરી શકશે. 

ટેક્સ ચોરી કરનારાઓ સામે લેવાશે એક્શન
સરકારના આ નિર્ણય બાદ હવે ટેક્સ ચોરી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત GST હેઠળના ગુનાઓ જેમ કે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, નકલી ઇનવોઇસ વગેરેને PMLA એક્ટમાં સામેલ કરવામાં આવશે. જાણકારોનું માનવું છે કે સરકારે નકલી બિલિંગ દ્વારા કરચોરી રોકવા માટે આ નિર્ણય લીધો છે.  

VTV Gujarati News and Beyond on Twitter: "નવો નિયમ/ GST વિભાગનો મહત્વપૂર્ણ  નિર્ણય, 100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓને GSTN ઈનવોઈસ અપલોડ કરવા 7  દિવસની સમય ...

મનમોહનસિંહ સરકારે લાગું કર્યો હતો આ કાયદો
અત્રે ઉલ્લેખીય છે કે, ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર 2022માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 લઈને આવી હતી, જેનો હેતુ કાળા નાણાને સફેદમાં ફેરવવાની પદ્ધતિઓને રોકવાનો છે. આ કાયદો મનમોહન સિંહ સરકારે 2005માં લાગુ કર્યો હતો. જોકે, સમય સમય પર તેમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય એજન્સીની શક્તિઓ વધી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ