બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Kishor
Last Updated: 06:58 PM, 26 April 2023
તલાટી કમ મંત્રીની પરીક્ષાની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં એટલે કે આગામી તારીખ 7 ના રોજ તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાશે. જેના ભાગરૂપે આ એક્ઝામના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. તા.27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
આગામી તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે.
તલાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી લઈ અને આગામી તા. 7 મે એટલે કે એક્ઝામના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે. તેમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.નોંધનીય છે કે આગામી તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. જેમાં સંમતિપત્ર આપવાનું ફરજિયાત કરાવ્યું હતું ત્યારે આ સંમતિ 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા છે તેઓના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.
તલાટી પરીક્ષાના કોલલેટર કયારથી નીકળશે?#talatiexam #Calllater #vtvgujarati #VTVcard pic.twitter.com/eWKf5UQze7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 26, 2023
હસમુખ પટેલે અગાઉ જણાવ્યું હતું કે...
અગાઉ હસમુખ પટેલે નિવેદન આપી જણાવ્યું હતું કે ડમી ઉમેદવાર મામલે બોર્ડને માહિતી મળશે તો પગલા લેવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ બોર્ડને ડમી ઉમેદવાર અંગે માહિતી આપી શકે છે. જે પણ લોકો ડમી ઉમેદવારની માહિતી આપે, તે લોકોએ પોતાની ઓળખ આપવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે, અમે માહિતી આપનારા લોકોની ઓળખ ગુપ્ત રાખશું અને જો કોઈ ડમી ઉમેદવારે ભૂતકાળમાં પણ પરીક્ષા આપી હશે, તો પણ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી.
મહત્વનું છે કે 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો નોંધાયા બાદમાં તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય ગત તા20 ના રોજ પૂર્ણ થયો હતો જેમાં કુલ 8,65,000 ઉમેદવારોએ જ સંમતિ પત્ર ભર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ