બ્રેકિંગ ન્યુઝ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા
PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ
VTV / ભારત / Ayodhya Ram Mandir Not only India, Lord Shri Ram is worshiped in more than 16 countries of the world, Muslim nations as well
Megha
Last Updated: 11:30 AM, 18 January 2024
ADVERTISEMENT
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન રામની માત્ર તેમની જન્મભૂમિ અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આસ્થા સાથે પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
ભગવાન રામ, જેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે, તે માત્ર ભારતીય સંસ્કૃતિ પૂરતા મર્યાદિત નથી. ભારતની આસપાસના ઘણા દેશોમાં અને ફક્ત હિન્દુ નહીં પરંતુ ઘણા મુસ્લિમ દેશોમાં પણ ભગવાન રામની પૂજા થાય છે. આ સાથે જ ઘણા દેશોમાં એવા પુરાવા પણ મળ્યા છે જેના પરથી સાબિત થાય છે ત્યાં હજારો વર્ષોથી ત્યાં ભગવાન રામની પૂજા કરવામાં આવતી હતી.
ભગવાન રામની વાર્તાઓ ઘણીવાર ભારતની આસપાસના દેશો જેમ કે થાઇલેન્ડ, મલેશિયા, લાઓસ, કંબોડિયા અને ઇન્ડોનેશિયામાં વર્ણવવામાં આવે છે અને તેનું મંચન કરવામાં આવે છે. આ બધા દેશોમાં, થાઈલેન્ડ સૌથી વિશેષ છે, જ્યાં રામ, રામાયણ અને અયોધ્યાના સમાન પ્રતીકો અને સ્થાનો હાજર છે.
ઉત્તર પ્રદેશના સંસ્કૃતિ વિભાગની અયોધ્યા સંશોધન સંસ્થાએ તેની રામાયણ વિશ્વમહાક્ષના એક વિભાગમાં ઈરાકમાંથી મળેલી કેટલીક મૂર્તિઓની તસવીરો પ્રકાશિત કરી છે. અયોધ્યા સંશોધન સંસ્થાનો દાવો છે કે દરબંદ-એ-બેલુલા ખડકમાં મળેલી ગ્રેફિટી ભગવાન રામની છે. ઇરાકના સિલાઇમાનિયા વિસ્તારમાં બૈનુલા બાયપાસ પાસે ખોદકામ દરમિયાન ભગવાન રામ અને હનુમાનની દુર્લભ મૂર્તિઓ મળી આવી છે. ઇરાક સરકારે આ બાબતે ભારત સરકાર દ્વારા માંગવામાં આવેલી માહિતીના જવાબમાં પત્ર લખીને આ વાતની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં ઈરાક સરકારના પુરાતત્વ વિભાગનો દાવો છે કે આ મૂર્તિઓ લગભગ ચાર હજાર વર્ષ જૂની છે.
આ સાથે જ રામાયણમાં વર્ણવવામાં આવ્યું છે કે રાવણના ભાઈ અહિરાવણે રામ-લક્ષ્મણનું અપહરણ કરીને એમને પાતાળલોકમાં દેવી માટે બલિદાન આપવા માંગતા હતા, પરંતુ હનુમાન ત્યાં પહોંચી ગયા અને અહિરાવણને મારી નાખ્યો હતો. રામાયણમાં વર્ણવેલ આ પાતાળલોક મધ્ય અમેરિકામાં હાલના હોન્ડુરાસના જંગલોમાં હતું. 2015 અને 2016માં ઘણા અનુભવીઓ દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. તે સમયે આ મામલો ખૂબ ચર્ચામાં હતો. આ પછી, ઘણા અમેરિકન વૈજ્ઞાનિકોએ માન્યું કે મધ્ય અમેરિકાના હોન્ડુરાસમાં એક જંગલ છે, જ્યાં આદિવાસીઓ મંકી ગોડની પૂજા પણ કરે છે.
વધુ વાંચો: અયોધ્યાનું એક એવું મંદિર, જેના દર્શન વિના ભગવાન રામલલાના દર્શન કહેવાય છે અધૂરા
સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં પણ રામાયણ ઘણી વખત મંચાય છે. ખાસ કરીને કઠપૂતળીઓ દ્વારા રામાયણનું મંચન ખૂબ જ સામાન્ય છે. અહીં રામકથાનું એક સ્વરૂપ કાકવિન રામાયણ ગ્રંથના સ્વરૂપમાં પણ જોવા મળે છે, જે ઘણી સદીઓથી આ દેશનો એક ભાગ છે. આ સિવાય મલેશિયા, લાઓસ, નેપાળ જેવા દેશોમાં, રામાયણ અથવા રામ સાથે સંબંધિત ભાગો તેમના સાંસ્કૃતિક ગ્રંથોમાં જોવા મળે છે. મલેશિયામાં ઘણા મુસ્લિમ લોકો તેમના નામમાં રામ શબ્દનો ઉપયોગ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT