બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Megha
Last Updated: 02:51 PM, 2 February 2024
અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને હજુ 11 દિવસો થયા છે અને અહીં આવનાર ભક્તોની સંખ્યા રોજ રેકોર્ડ તોડી રહી છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારથી કરીને અત્યાર સુધી 11 દિવસોમાં રામ મંદિરમાં 25 લાખ જેટલા શ્રધ્ધાળુઓ રામલલાના દર્શન માટે આવ્યા છે.
1 ફેબ્રુઆરી સુધીના દર્શન અને દાનના આંકડા સામે આવ્યા છે. તે રામ મંદિર પ્રત્યે ભક્તોનું આકર્ષણ દર્શાવે છે. છેલ્લા 11 દિવસમાં ભગવાન રામલલાની દાનપેટીમાં 11 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. તે જ સમયે, આ 11 દિવસમાં 25 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. એક રીતે જોવામાં આવે તો રામ મંદિરમાં દરરોજ સરેરાશ 1 કરોડ રૂપિયાનું દાન થઈ રહ્યું છે.
રામ જમ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસોમાં દાનપેટીમાં 8 કરોડ રૂપિયા જમા થયા છે અને લગભગ 3.5 કરોડ રૂપિયા ઓનલાઈન દાનમાં મળ્યા છે. ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે ભગવાન રામલલા જ્યાં બિરાજમાન છે તે ગર્ભગૃહની સામે દર્શન માર્ગ પાસે ચાર દાન પેટીઓ રાખવામાં આવી છે. જેમાં ભક્તો દાન કરી રહ્યા છે.
આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર પર પણ લોકો દાન આપી રહ્યા છે. આ ડોનેશન કાઉન્ટરો પર ટેમ્પલ ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ મળેલી દાનની રકમનો હિસાબ ટ્રસ્ટની કચેરીમાં જમા કરાવે છે.આ માટે 14 કર્મચારીઓની ટીમ ચાર દાન પેટીઓમાં દાનની ગણતરી કરે છે જેમાં 11 બેંક કર્મચારીઓ અને ત્રણ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે દાન એકત્ર કરવાથી માંડીને તેની ગણતરી સુધીનું બધું જ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થાય છે.
જણાવી દઈએ કે કડકડતી ઠંડી છતાં રામલલાના દર્શન માટે અયોધ્યા આવનારા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. દરરોજ સવારે 7 વાગ્યાથી મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે અને બપોરે અઢી કલાકના આરામ પછી 10 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy