બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / At Wankaner Morbi husband was stabbed to death by wife suspecting husband
Vishal Khamar
Last Updated: 05:50 PM, 6 August 2023
જર, જમીન અને જોરુ છે કજિયાના છોરું આ કહેવત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પતિ બીજી મહિલા સાથે વાત કરતો હોવાની પત્નીને શંકા હતી જેથી કરીને રૂમમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી ત્યારે પત્નીએ ત્રેના પતિને કુહાડીના જીવલેણ હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે.
મહિલા તેમજ તેનાં પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
મોરબી જીલ્લામાં ઘણા પરિવારો રોજગારી મેળવવા માટે આવે છે. તેવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (40) એ તેના દીકરા અને પુત્રવધૂ સાથે મોરબી જીલ્લામાં રોજગારી માટે આવ્યા હતા. અને ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા હતા. ત્યારે સુમસિંહનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન અર્જુનભાઈ ડામોર બંને શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના લેબર ક્વાર્ટરમાં હતા. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારે કાળીબેને તેના પતિ અર્જુનભાઈ ડામોરને કુહાડીના જીવલેણ ઘા માર્યા હતા. જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન અર્જુનભાઈ ડામોરનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
મહિલાએ તેનાં પતિને કુહાડીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિવ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ફરિયાદીનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન ડામોર હતા. ત્યારે મૃતક યુવાન અર્જુન સુમસિંહ ડામોર અન્ય કોઈ મહિલા સાથે મોબાઈલ ઉપર વાત કરે છે. તેવી શંકાના આધારે કાળીબેન ડામોર દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. ત્યાર બાદ અર્જુન ડામોરને કુહાડીના મારી નાખવાના ઇરાદે માથા તથા આંખના ભાગે જીવલેણ ઘા ઝીકયા હતા. જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા. અને ત્યાં તેને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે. જેથી હત્યાના ગુનામાં પોલીસે કાળીબેન ડામોરની ધરપકડ કરેલ છે.
પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે. ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે. તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસે આઇપીસી કલમ 324, 307 તથા જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે અને આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime