બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / વિશ્વ / As soon as he got power, the real face of the President of Maldives came out, see what he said about India
Megha
Last Updated: 10:11 AM, 3 October 2023
ચૂંટણી જીત્યા બાદ જ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારત વિરોધી વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ચીનના સમર્થક મોહમ્મદ મુઈઝુએ માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાની વાત ફરી કરી છે તેમણે કહ્યું કે તેઓ તેમના કાર્યકાળના પહેલા જ દિવસથી માલદીવની ધરતી પરથી વિદેશી સૈનિકો (ભારતીય)ને હટાવવાના પ્રયાસો શરૂ કરશે.
Congratulations and greetings to @MMuizzu on being elected as President of the Maldives.
— Narendra Modi (@narendramodi) October 1, 2023
India remains committed to strengthening the time-tested India-Maldives bilateral relationship and enhancing our overall cooperation in the Indian Ocean Region.
ચૂંટણી જીતશે તો માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવી દેશે
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ સોલિહ 2018માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. મુઇઝુએ તેના પર આરોપ લગાવ્યો હતો કે તે ભારતને દેશમાં તેની ઈચ્છા મુજબ કામ કરવાની સ્વતંત્રતા આપે છે. આ સાથે જ મુઈઝુએ વચન આપ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે તો તે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવી દેશે અને દેશના વેપાર સંબંધોને સંતુલિત કરશે.
માલદીવની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુની જંગી જીત
માલદીવમાં શનિવારે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu )એ જંગી જીત મેળવી છે. Mohamed Muizzu એ વર્તમાન પ્રમુખ મોહમ્મદ સોલિહને હરાવ્યા છે. Mohamed Muizzuને ભારતના વિરોધી તરીકે જોવામાં આવે છે. સોલિહ સત્તામાં આવ્યા ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ઘણા મજબૂત થયા છે. માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ 17 નવેમ્બર સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે.
In the second phase of Maldives Presidential elections, Mohammed Muizzu has defeated the current President Ibrahim Solih.
— زماں (@Delhiite_) September 30, 2023
People of Maldives had to choose whose influence they want on their country- India or China.
People chosen Pro-Chinese Prez Muizzu with 53% of votes
Solih… pic.twitter.com/a2yuFDFcDf
મોહમ્મદ મુઈઝુએ ઈન્ડિયા-આઉટ' અભિયાનનો નારો આપ્યો હતો
મહત્વનું છે કે, Mohamed Muizzu અને તેમની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસને ચીન તરફી તરીકે પણ જોવામાં આવે છે. મોહમ્મદ સોલિહને સત્તા પરથી હટાવવા માટે Mohamed Muizzu અને તેમની પાર્ટીએ ચૂંટણીમાં 'ઈન્ડિયા-આઉટ' અભિયાનનો નારો આપ્યો હતો તે વાત પરથી પણ આનો અંદાજ લગાવી શકાય છે. Mohamed Muizzu નો આરોપ છે કે, સોલિહના કાર્યકાળ દરમિયાન ભારતે માલદીવની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતામાં દખલ કરી છે. Mohamed Muizzu ને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 54 ટકાથી વધુ વોટ મળ્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહને 46 ટકા મત મળ્યા છે. Mohamed Muizzu લગભગ 18 હજાર મતોથી જીત્યા છે.
ચૂંટણીના પરિણામો ભારત માટે મહત્વપૂર્ણ
હિંદ મહાસાગરમાં આવેલા સો કરતાં વધુ ટાપુઓનો દેશ માલદીવ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો દેશ છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતની સાથે સાથે ચીન પણ આ ચૂંટણીના પરિણામ પર નજર રાખી રહ્યું હતું. આ રાષ્ટ્રપતિની ચૂંટણીને પણ માલદીવના લોકોના જનમત તરીકે જોવામાં આવી રહી હતી કે માલદીવે ભારત સાથે ગાઢ સંબંધો જાળવી રાખવા જોઈએ કે ચીન સાથે. Mohamed Muizzu ની જીત બાદ નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ફરી એકવાર બગડી શકે છે. કારણ કે Mohamed Muizzu અને તેમની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસને ચીન તરફી તરીકે જોવામાં આવે છે. મોહમ્મદ સોલિહ પહેલા પીપલ્સ નેશનલ કોંગ્રેસ પાર્ટીના અબ્દુલ્લા યામીન માલદીવના પ્રમુખ હતા. તે સમયે પણ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સૌથી નીચા સ્તરે હતા.
Mohammed Muizzu's Election in Maldives: In the Context of India-China Relations🧵
— South Asian Perspective (@SAnPerspective) October 1, 2023
In a significant electoral victory, Mohammed Muizzi from the Progressive Party of Maldives emerged as the winner of the presidential elections in the #Maldives, securing 54.06% of the votes. This… pic.twitter.com/iMD161Mv9n
મોહમ્મદ સોલિહની હાર ભારત માટે એક ઝટકો
માલદીવની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને ભારત માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ચૂંટણી પરિણામથી માલદીવ અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોને ફરી એક વખત તે સ્થાને લઈ ગયા છે જ્યાંથી બંને દેશોએ પાંચ વર્ષ પહેલા શરૂઆત કરી હતી. માલદીવના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ Mohamed Muizzu એ ગયા વર્ષે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં પરત ફરશે તો બંને દેશો (ચીન-માલદીવ) વચ્ચેના મજબૂત સંબંધોમાં વધુ એક અધ્યાય ઉમેરાશે.
મહત્વનું છે કે, માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને મોહમ્મદ મુઈઝુના રાજકીય માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે. અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવે બાંધકામ પ્રોજેક્ટ્સ માટેની ભારતની વિનંતીને નકારીને ચીન પાસેથી ભારે ઉધાર લીધું હતું. યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવ સંપૂર્ણપણે ચીનના દેવાની જાળમાં ફસાઈ ગયું હતું. જે પછી યામીન સામે વધતા અસંતોષને કારણે સોલિહે 2018 ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી. 2018ની ચૂંટણીમાં ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે ગયૂમના સાવકા ભાઈ અબ્દુલ્લા યામીનને હરાવ્યા હતા. યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવ જે રીતે ચીનની નજીક આવી રહ્યું હતું તેનાથી ભારત ચિંતિત હતું. કારણ કે માલદીવ હિંદ મહાસાગરની મધ્યમાં વિશ્વની સૌથી વ્યસ્ત પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેન પર સ્થિત છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન હાલ જેલમાં છે. અબ્દુલ્લા યામીનને ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે Mohamed Muizzu એ યામીનને જેલમાંથી છોડાવવાના શપથ લીધા છે.
માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો
માલદીવ 1965માં બ્રિટનથી સ્વતંત્ર થયું. માલદીવની આઝાદી બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો મિશ્ર રહ્યા છે. 1968થી 2008 સુધી માલદીવમાં કાર્યકારી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી હતી. ઈબ્રાહિમ નસીહ 1968 થી 1978 સુધી માલદીવના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા. 1978માં મૌમૂન અબ્દુલ ગયૂમ માલદીવના આગામી કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. અબ્દુલ ગયૂમના કાર્યકાળ દરમિયાન જ ભારતે માલદીવમાં 'ઓપરેશન કેક્ટસ' શરૂ કર્યું હતું. જેનો હેતુ અબ્દુલ ગયૂમ વિરુદ્ધ બળવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો હતો. ગયૂમ 30 વર્ષ સુધી માલદીવના રાષ્ટ્રપતિ હતા.ભારતે ત્રણ દાયકા સુધી અબ્દુલ ગયૂમ સાથે નજીકથી કામ કર્યું. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા. તે 2008 માં અબ્દુલ ગયૂમના કાર્યકાળ દરમિયાન હતું કે, માલદીવે નવા બંધારણ હેઠળ બહુપક્ષીય પાર્ટી સિસ્ટમ લાગુ કરી હતી. જે અંતર્ગત પાંચ વર્ષ માટે પ્રમુખની ચૂંટણીનો પ્રારંભ થયો હતો. 2008ની ચૂંટણીમાં અબ્દુલ ગયૂમનો પરાજય થયો અને મોહમ્મદ નશીદ માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યા. માલદીવમાં 2008 બાદથી કોઈ રાષ્ટ્રપતિ ફરી ચૂંટાયા નથી.
2008 પછી ચીન તરફ માલદીવનો ઝુકાવ
2008માં જ્યારે મોહમ્મદ નશીદ માલદીવના રાષ્ટ્રપતિ બન્ય ત્યારે રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા ભારતે તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને નશીદના શપથ ગ્રહણમાં મોકલ્યા. મોહમ્મદ નશીદના કાર્યકાળની શરૂઆતમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સારા હતા, પરંતુ ધીમે ધીમે ચીન સાથે માલદીવની નિકટતા વધવા લાગી. ભારતને માલદીવ તરફથી ફટકો પડ્યો જ્યારે નશીદ સરકારે 2012માં માલદીવ એરપોર્ટ માટે ભારત સાથેનો જીએમઆર કરાર રદ કર્યો. 2013માં માલદીવમાં અબ્દુલ્લા યામીન સત્તા પર આવ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા. યામીનના કાર્યકાળ દરમિયાન જ માલદીવ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં જોડાયું હતું. જ્યારે ભારત હંમેશા ચીનના આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરતું આવ્યું છે.
યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવ સરકાર પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં ભારત અને પશ્ચિમી દેશોએ માલદીવને લોન આપવાની ના પાડી દીધી હતી. જે બાદ યામીન સરકાર ચીન તરફ વળી. ચીને માલદીવને કોઈપણ શરત વગર લોન આપી. યામીનના કાર્યકાળ દરમિયાન માલદીવમાં ચીનના પગપેસારો ભારત માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો. 2018ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે માલદીવ સાથેના સંબંધો સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા. ઇબ્રાહિમ સોલિહના કાર્યકાળ દરમિયાન બંને વચ્ચેના સંબંધો પણ મજબૂત થયા. ભારતે વિવિધ પ્રસંગોએ માલદીવ સુધી તેની પહોંચ સુનિશ્ચિત કરી. ભારતે માલદીવને વેક્સીનથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં લોનના રૂપમાં મદદ કરી.
Mohamed Muizzu ની જીત ભારત માટે મોટો ફટકો
Mohamed Muizzu ને માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના પ્રોક્સી (અનુગામી) તરીકે જોવામાં આવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના નિવેદનોએ ભારતની ચિંતામાં વધુ વધારો કર્યો છે. Mohamed Muizzu એ કહ્યું હતું કે, જો તે ચૂંટણી જીતશે તો તે વિદેશી દેશો અને કંપનીઓ સાથેના તમામ કરારો રદ કરી દેશે જે માલદીવ અને માલદીવના લોકો માટે ફાયદાકારક નથી. મુઈઝુનો સ્પષ્ટ સંદર્ભ ભારત અને ભારતીય કંપનીઓ તરફ હતો. આ સિવાય Mohamed Muizzu એ કહ્યું હતું કે, જો હું રાષ્ટ્રપતિ બનીશ તો પહેલા જ દિવસથી માલદીવમાંથી ભારતીય સૈનિકોની હટાવવાની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત Mohamed Muizzu એ અનેક પ્રસંગોએ માલદીવમાં ચીનના પ્રોજેક્ટ્સ માટે યામીનની પ્રશંસા પણ કરી છે. Mohamed Muizzu નો આરોપ છે કે સોલિહના કાર્યકાળ દરમિયાન ભારતે માલદીવની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતામાં દખલ કરી છે. જ્યારે ચીને આવું કર્યું નથી.
ભારત પર શું થશે અસર?
રાજદ્વારી નિષ્ણાતો માને છે કે, Mohamed Muizzu ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત માલદીવમાં ભારતના હિતોને જોખમમાં મૂકી શકે છે. મોહમ્મદ સોહેલની ભારત તરફી નીતિથી વિપરીત Mohamed Muizzu ની નીતિ ચીન તરફી હોઈ શકે છે. આનો અર્થ એ છે કે માલદીવ ચીન સાથે મુક્ત વેપાર કરારને અસરકારક રીતે અમલમાં મૂકી શકે છે. આ સિવાય માલદીવ સરકાર ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં માલદીવની મદદથી ચીન ફરી એકવાર હિંદ મહાસાગરમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. કારણ કે ભારત હિંદ મહાસાગરમાં શ્રીલંકા જેવી સ્થિતિમાં બીજા દેશને જોવા માંગતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ