બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Army vehicle heading to Shopia collision crashes, 2 killed, 2 injured
Hiralal
Last Updated: 06:59 PM, 14 April 2022
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન બીજી પણ એક દુર્ઘટના બની હતી. આર્મી અધિકારીઓએ કહ્યું કે 44 આરઆર ચૌગામ કેમ્પથી સૈનિકોને લઈને એક સૂમો બુડિગામ અથડામણ સ્થળ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે લપસી ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ ચાર જવાન ઘાયલ થયા હતા જેમને શોપિયાની જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં બે જવાનોના મોત થયા હતા. તેમણે કહ્યું કે બાકીના બે જવાનોને શ્રીનગરની 92 બેસ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
શોપિયા એકાઉન્ટરમાં 2 આતંકી ઠાર
સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા, શોપિયમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
J&K | An encounter breaks out at Badigam, Zainapora area of Shopian. Police and security forces are on the job. Further details shall follow: Police
— ANI (@ANI) April 14, 2022
સ્થાનિક નાગરિકની હત્યા
આતંકીઓએ બડગામ જિલ્લાના ગોટપોરા ખાતે તાજમુલ મોહિઉદ્દીન નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. મોહિઉદ્દીન પર તેના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો હતો. ગોળી વાગતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. આ પહેલા રવિવારે સુથારી કામ કરતા એક પ્રવાસી મજૂરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પુલવામા જિલ્લામાં પણ બની હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime