બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Malay
Last Updated: 12:26 PM, 20 October 2023
Surat News: સુરતના રાંદેર વિસ્તારની શિંવાજની હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. હોસ્પિટલના ડોક્ટર ધવલ પટેલની બેદરકારીથી 65 વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર ધવલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોના આરોપ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
65 વર્ષીય શાંતાબેનનું ઓપરેશન દરમિયાન મૃત્યુ
મળતી માહિતી અનુસાર, શહેરની શિંવાજની હોસ્પિટલમાં 65 વર્ષીય શાંતાબેન પટેલનું કરોડરજ્જુનું ઓપરેશન થયું હતું. ઓપરેશન દરમિયાન શાંતાબેન પટેલનું મૃત્યુ થયું છે. જે બાદ પરિવારજનોએ શિંવાજની હોસ્પિટલના ડૉ. ધવલ પટેલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ ઓપરેશન દરમિયાન દર્દીને હ્રદયની સમસ્યા થઈ હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે.
મારા સાસુને સ્પાઈનનો પ્રોબ્લેમ હતોઃ હિમાંશુભાઈ
આ મામલે શાંતબેનના જમાઈ હિમાંશુભાઈ પટેલે જણાવ્યું કે, મારા સાસું શાંતિબેનને સ્પાઈનનો પ્રોબ્લેમ હોવાથી તેમને ધવલ પટેલની હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ડોક્ટર ધવલ પટેલે બીજા દિવસે સવારે ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો. નક્કી કરેલા સમયે તેમને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. અમને ઓપરેશનનો બેથી અઢી કલાકનો સમય કહેવામાં આવ્યો હતો.
'ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ'
જે બાદ અમને છેક સાંજે 4.20 કલાકે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, ઓપરેશન દરમિયાન તેમને હાર્ટનો પ્રોબ્લેમ થયો હતો અને જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. અમારી માંગ છે કે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારું સ્વજન તો ચાલ્યું ગયું છે, કોઈ અન્ય વ્યક્તિ સાથે આવો બનાવ ન બને તે માટે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime