બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Agriculture Minister Raghavji Patel in action mode, talking on Delhi phone over fertilizer shortage
Mehul
Last Updated: 10:03 PM, 10 January 2022
ગુજરાતમાં ફરી ખાતરની અછત વર્તાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કોરોના કાળમાં ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર થયા છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખાતરની અછતને લઇને એક્શન મોડમાં આવ્યા. તેમણે કહ્યું કે કચ્છમાં 1436 ટન ખાતર 2 દિવસમાં પહોચી જશે. અને ઉતર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ 2 દિવસમાં ખાતર પહોચી જશે જેથી ખાતરની અછત ખેડૂતોને નહી પડે. ખાતરની અછતને લઇને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. રાઘવજી પટેલે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.
નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આમ પોટાશ ખાતરના ભાવ વધતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજીત 40 કરોડનો આર્થિક બોજો સહન કરવો પડશે, મહત્વનું છે કે કેન્દ્ર સરકાર સમક્ષ 5 હજાર કરોડની સબસિડીની માગ કરાઇ રહી છે.
પોટાશમાં ગુણ દીઠ થયો હતો 660 રૂપિયાનો વધારો
નવા વર્ષની શરૂઆત સાથે જ ખાતરના ભાવમાં વધારો થયો છે. પોટાશ ખાતરનો ભાવ છેલ્લા 10 મહિનામાં બે ગણો થયો છે. એપ્રિલ 2021માં પોટાશ ખાતરનો ભાવ 850 રૂપિયા હતો. જ્યારે હવે જાન્યુઆરી 2022માં પોટાશ ખાતરનો ભાવ 1700 થયો છે. જેને લઇ રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પોટાશ ખાતરમાં ગુણ દીઠ 660 રૂપિયાનો વધારો થયો છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે-સંઘાણી
ખાતરના ભાવ વધારા મુદ્દે IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશનો ભાવમાં વધારો થયો છે જે 280 ડોલર પ્રતિ ટનથી વધીને 700 ડોલર થયો છે.આમ ખાતરના ભાવમાં વધારા માટે ઈન્ટરનેશનલ માર્કેટ કારણભૂત છે.દેશ અને રાજ્યમાં પોટાશ ખાતરનો ભાવ ઈન્ટરનેશનલ ભાવ પ્રમાણે વધે છે.
આજે આવક અડધી અને ખર્ચ બમણો થયો;કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપ સરકારના 25 વર્ષ અને કેન્દ્રમાં 7 વર્ષના શાસન પૂરા થયા છતા ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર છે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના ઠાલા વચનો આપ્યા હતા જો કે આજે ખેડૂતોની આવક અડધી અને ખર્ચ બમણો થઈ ગયો છે. અવાર નવાર ખેડૂતો ભારત સરકારની નીતિ સામે વિરોધ કરતા નજરે પડે છે, વર્તમાન સમયમાં ખાતરના ભાવ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત મહિને ખાતરના ભાવમાં 260 વધ્યા બાદ 259 રુપિયાનો વધારો કરાયો હતો, એક તરફ ડીઝલ, સિંચાઈ,બિયારણ, જંતુનાશક દવાઓના ભાવથી ખેડૂતો હેરાન છે. ત્યારે કૃષિ ઓજાર પર પણ જીએસટી ચાર્જ વસુલવામાં આવે છે. આ ભાવ વધારા વચ્ચે વિપક્ષે પણ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે.
રાસાયણિક ખાતરમાં ભાવ વધતા ખેડૂતોનું બજેટ ખોરવાયું છે. 1 વિઘામા 3 થેલી ખાતર ઉપયોગ થતા 1 હજાર મોંઘવારી ખેડૂતોના શિરે આવી પડ્યો છે. રાસાયણિક ખાતર અને દવાના ભાવ વધારા સામે ખેડૂત લાચાર છે. ઉપજ મુજબ ભાવ ન મળતા ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. હવે ખાતરમાં ભાવ વધારો થા ખેડૂત ચિંતિત બન્યા છે. ખાતરના ભાવ વધારા કારણે ખેડૂતો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime