બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Dinesh
Last Updated: 11:32 PM, 23 August 2023
Anand News: આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર મામલાને લઈ ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાઈ છે. અત્રે જણાવી દઈએ કે, આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે
ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ
આણંદ કલેકટર કચેરીમાં સ્પાયકાંડને લઇને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યો છે. સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીના સ્પાયકાંડમાં કેતકી વ્યાસ સંડોવાયેલ છે. સ્પાયકાંડની પૂછપરછમાં કરોડોની જમીન ઉપરાંતના વહીવટ બાબતના ખુલાસા થયા છે. કેતકી વ્યાસના કૌભાંડના પણ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યાં છે.
કેતકી વ્યાસનો વધુ એક વિવાદ
સ્પાયકાંડની આરોપી કેતકી વ્યાસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાવળાનો એક પરિવાર કેતકી વ્યાસના કૌભાંડનો શિકાર બન્યો હતો. પરિવારને ફસાવવા કેતકી વ્યાસે ખોટી ફરિયાદ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહેન્દ્રસિંહ ચૌહાણે ખોટા ઓર્ડર અંગે કેતકી વ્યાસ પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે. કેતકી વ્યાસે તેમની બદલીના દિવસે જ મારી વિરુદ્ધ ખોટી FIR નોંધાવી હતી તેમજ ફરિયાદમાં જે આરોપ લગાવ્યા છે તે તમામ પાયાવિહોણા છે તેમ મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું છે.
મહેન્દ્રસિંહ ચૌહાણના આક્ષેપ
મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, કેતકી વ્યાસે પોતાનો બચાવ કરવા માટે મારા પર ખોટી FIR કરી હતી તેમજ અરજદારે બાવળામાં નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવાની અરજી કરી હતી. અરજદારે મને ભલામણ કરતા હું અધિકારીને રજૂઆત કરવા ગયો હતો. રાજકીય હોદ્દેદાર હોવાથી એક અરજદારની રજૂઆત કરવા અધિકારી પાસે ગયો હતો.
2006માં નોંધાઈ હતી FIR
આ ઉપરાંત કેતકી વ્યાસ વિરુદ્ધ 2006માં પોલીસ સ્ટેશનમાં FIR પણ થઈ હતી, કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે બીસ્મિલ્લાખાન પઠાણ નામના વ્યક્તિને ગેરકાયદે 6 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા, આ મામલે પઠાણ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ કેતકી વ્યાસ સામે FIR થઈ હતી, આ મામલો હજુ કોર્ટમાં પડતર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ