બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / adar poonawalla appeal to govt to reduce vaccine dose and precautions dose propose 6 month gap
Dhruv
Last Updated: 04:16 PM, 12 April 2022
SII ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, 'બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો તફાવત 6 મહિના સુધીનો કરવો જોઈએ.' દેશમાં ધીરે-ધીરે કોરોનાથી રાહત મળી રહી છે કારણ કે, છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી કોરોનાના કેસો દેશમાં સતત ઘટી રહ્યાં છે. દરમિયાન હવે કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ પણ શરૂ થઇ ગયો છે. જે હવેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને પણ મળશે. પરંતુ હાલમાં બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનો તફાવત છે જેને ઘટાડવા ખુદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો છે.
સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું
હકીકતમાં, સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે કોરોનાનો બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકો છો. એટલે કે જાન્યુઆરી 2022 માં બીજો ડોઝ મળ્યો હોય તેણે બૂસ્ટર ડોઝ માટે નવેમ્બર 2022 સુધી રાહ જોવી પડશે. આ અંગે SII ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, 'બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો તફાવત 6 મહિના સુધીનો કરવો જોઈએ.' તેઓએ કહ્યું કે, "અત્યારે કોવિડ રસીકરણની ગતિ ધીમી પડી ગઈ છે. કારણ કે અમને એક નિયમ મળ્યો છે કે તમારે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિના રાહ જોવી પડશે. અમે સરકારને અપીલ કરી છે કે તેને બીજા 6 મહિના સુધી કેવી રીતે ઘટાડી શકાય. અમે 6 મહિનાના અંતરની દરખાસ્ત કરીશું."
સરકારે આપી હતી મંજૂરી
જણાવી દઈએ કે, પહેલા માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના અને બીમારીઓથી પીડિત લોકોને જ કોરોનાનો ત્રીજો ડોઝ આપવામાં આવતો હતો. પરંતુ થોડાં દિવસ પહેલાં સરકારે જાહેરાત કરી હતી કે, હવે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ અપાશે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ત્રીજો ડોઝ બીજો ડોઝ લગાવ્યાના 9 મહિના બાદ જ આપવો જોઈએ. સરકારે કહ્યું કે, લોકો ખાનગી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રોમાંથી બૂસ્ટર ડોઝ લાગુ કરી શકે છે. હાલમાં, 18થી 59 વર્ષના લોકોએ ત્રીજા ડોઝ માટે પૈસા આપવાના રહેશે.
We are pleased to announce that after discussion with the Central Government, SII has decided to revise the price of COVISHIELD vaccine for private hospitals from Rs.600 to Rs 225 per dose. We once again commend this decision from the Centre to open precautionary dose to all 18+.
— Adar Poonawalla (@adarpoonawalla) April 9, 2022
જેવી સરકારે બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપી કે તુરંત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટ દ્વારા રસીની નવી કિંમતોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હવે કોવિશિલ્ડ ખાનગી હોસ્પિટલોમાં 600 રૂપિયાને બદલે 225 રૂપિયા પ્રતિ ડોઝ મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા