બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Actress Nusrat Bharucha, trapped in Israel, was contacted

અપડેટ / ઈઝરાયલમાં ફસાયેલી અભિનેત્રી નુસરત ભરુચાનો થઈ ગયો સંપર્ક: જાણો અત્યારે ક્યાં છે અભિનેત્રી? ક્યારે આવશે ભારત

Priyakant

Last Updated: 10:23 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Palestine War News: બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગયા બાદ મોટી અપડેટ

  • ઈઝરાયેલમાં ફસાયેલ નુસરત ભરૂચાને લઈ મોટા સમાચાર
  • ઈઝરાયેલથી ભારત પરત ફરવા એરપોર્ટ વિસ્તારમાં પહોંચી નુસરત ભરૂચા
  • ટૂંક સમયમાં ભારતની ફ્લાઈટ લઈને પોતાના દેશ પરત ફરશે

Nusrat Bharucha In Israel : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શનિવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ તરફ બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. મહત્વનું છે કે, આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત હતા અને નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ હવે અભિનેત્રી વિશે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. 

ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચા સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી એકદમ સુરક્ષિત છે. તે ઈઝરાયેલથી ભારત પરત ફરવા એરપોર્ટ વિસ્તારમાં પહોંચી છે. તે ટૂંક સમયમાં ભારતની ફ્લાઈટ લઈને પોતાના દેશ પરત ફરશે. નુસરતના પરિવાર, ચાહકો અને સમગ્ર દેશ માટે આ રાહતના સમાચાર છે. નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત ફરે તેની બધા લોકો રાહ જોઈ રહ્યા છે. 

નુસરત ઈઝરાયેલમાં કેવી રીતે ફસાઈ?
નુસરત ભરૂચા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા ઈઝરાયેલ ગઈ હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ થયું અને નુસરત ત્યાં જ ફસાઈ ગઈ. અભિનેત્રીની ટીમે આ અંગે માહિતી આપી હતી.માહિતી આપતાં તેની ટીમે કહ્યું હતું કે, અભિનેત્રી ભોંયરામાં છે અને સુરક્ષિત છે. પરંતુ ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે નુસરત સાથેની આ વાતચીત બાદ તેની ટીમનો સંપર્ક તૂટી ગયો. તેમની ટીમે કહ્યું હતું કે અમે સંપર્ક કરી શકતા નથી. અમે નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત પરત ફરે. હવે લેટેસ્ટ માહિતી અનુસાર, નુસરત સુરક્ષિત રીતે એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં તે ભારતની ફ્લાઈટમાં બેસશે. 

આ ફિલ્મોમાં જોવા મળી હતી નુસરત
નુસરત ભરૂચાની વાત કરીએ તો તે બોલિવૂડનું મોટું નામ છે. નુસરતે ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં પ્યાર કા પંચનામા, ડ્રીમ ગર્લ, જનહિત મેં જારી, રામ સેતુ જેવી ફિલ્મો કરી છે. નુસરત છેલ્લે ફિલ્મ અકેલીમાં જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ