બ્રેકિંગ ન્યુઝ
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો
અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે
મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો
ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ
રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
VTV / A lightning conductor is a metal rod, the upper pointed part of which is above the roof.
Dinesh
Last Updated: 12:05 AM, 4 July 2023
વરસાદની ઋતુ એટલે કે ચોમાસુ અને આ ઋતુમાં આકાશી વીજળીના કડાકા ભડાકા પણ થતા હોય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, આ બિલ્ડીંગમાં લાઈટનિંગ કંડક્ટર લગાવવામાં આવ્યું હોત તો વીજળી પડવાથી મૃત્યુ ન થયું હોત. તડિંત ચાલક યંત્ર એટલે એવું ઉપકરણ જે વીજળીને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે. તમે આ યંત્રને ઉંચી ઈમારતો પર જોયુ હશે પરંતુ આજકાલ તે સામાન્ય રીતે જોવા મળતું નથી. ખાસ કરીને આ યંત્ર વરસાદ દરમિયાન વીજળી પડવાના બનાવો વધુ બને છે ત્યાં હોય છે. આ સરળ દેખાતો ઉપકરણ માત્ર નુકસાનથી બચાવે એટલું જ નથી પરંતુ તે માનવ જીવનને પણ ઘણી વખત બચાવે છે.
વીજળીથી અનેક નુકસાન થાય છે
છત્તીસગઢના સૂરજપુર જેવા વિસ્તારોમાં અવારનવાર વીજળી પડવાની ઘટનાઓ બને છે. જો ઘરમાં લાઈટનિંગ એરેસ્ટર (તડિત ચાલક) લગાવવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાય છે. આ જિલ્લામાં ચોમાસાના દિવસોમાં વીજળી પડવાથી માનવ અને પશુઓનું મૃત્યું થયાની ઘટના સામે આવતી હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, વીજળીથી બચવાના ઉપાયો ધ્યાને લેવાતા નથી તેમજ જવાબદારો અધિકારીઓમાં પણ આ અંગે જાગૃતિ ન હોય તેવું જણાઈ રહ્યું છે. ચામાસાની ઋતુનું આગમન થતાં ફરી એકવાર વિજળી પડવાની શક્યતાઓ વધી ગઈ છે. જેને ધ્યાને લઈ તમે તમારી સુઝ બુઝથી તમારા પરિવારનો ધ્યાન રાખી શકો છો.
તાંબાનું બનેલું હોય છે
સૂરજપુર જિલ્લામાં આ વર્ષે મોડું થયું છે પરંતુ ચોમાસાએ શરૂ થયો છે. સૂરજપુરના પહાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે વીજળી પડવાથી જાનમાલનું મોટું નુકસાન થાય છે. ભૈયાથાણ, પ્રતાપપુર, પ્રેમનગર, ઓડગી જેવા વિસ્તારોમાં વીજળી પડવાને કારણે અનેક દુર્ઘટના ઘટે છે જેને લઈ લોકોમાં સતત ડપ પણ રહે છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો જિલ્લામાં 12 જેટલા લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા છે તેમજ અનેક પશુઓના પણ મૃત્યુ થયા છે. ઘરોમાં વીજળી પડતાં લાખોનાં ઘરવપરાશનાં સાધનોને નુકસાન થયું હતું. જેને લાઈટનિંગ કંડક્ટર અંગ્રેજીમાં કહેવાય છે તેમજ તડિત ચાલક યંત્ર હિન્દીમાં કહેવાય છે તે તાંબાનું બનેલું હોય છે. લાઈટનિંગ કંડક્ટરએ ધાતુનો સળિયો હોય છે, જેનો ઉપરનો પોઈન્ટેડ ભાગ છતની ઉપર હોય છે અને તેનો એક ભાગ જમીનમાં જાય છે. આ વીજળી વાહક તાર આકાશી વીજળીના શોર્ટને જમીનમાં ઉતારે કરે છે. આવી સ્થિતિમાં વીજળી પડવાથી થતો નુકસાન ટળી જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ