બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 people cremated together in crematorium after Morbi accident
Malay
Last Updated: 11:08 AM, 31 October 2022
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઘટનાને લઇ સમગ્ર મોરબી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. મોરબીના લીલાપર રોડ પર સ્મશાન ગૃહમાં એક સાથે 6 લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.
એક સાથે 6ની ચિતાને અપાઈ અગ્નિ
હ્યદય હચમચાવી દેનારી ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે નનામીની તૈયારી કરવામાં આવી રહી છે. લીલાપર રોડ પરના સ્મશાન ગૃહમાં એક સાથે 6 લોકોની ચિતાઓને અગ્નિ આપવામાં આવી. આ કરૂણ દ્રશ્યો જોઈ તમારું હૃદય પણ કંપી ઉઠશે.
હૃદયદ્રાવક ઘટના પછી આખા મોરબી પંથકમાં સન્નાટો છવાયો
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ સાંજથી જ મોરબીમાં હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી. આને કારણે જાણે આખું મોરબી શહેર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજીતરફ હૃદયદ્રાવક ઘટના પછી આખા મોરબી પંથકમાં સન્નાટો છવાયો ગયો છે. આ હોનારત બાદ દરેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ