બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 38 villages in Surendranagar district will get Narmada water
Ajit Jadeja
Last Updated: 12:16 PM, 16 March 2024
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં 38 ગામોને નર્મદાનુ પાણી મળશે. 3 તાલુકાના 38 ગામોને નર્મદાનુ પાણી મળશે. જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. સરકારે રજૂઆતોને ધ્યાને લઇ રૂ.348 કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. વઢવાણ, મુળી, સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે.
સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી હોય છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં કેનાલો હજુ પહોચી નથી જેને કારણે ખેડૂતો સિંચાઇનો લાભ મળતો નથી. ખાસ કરીને ઉનાળામાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. પીવાના પાણીની અને વપરાસ માટે પણ પાણી પુરતુ મળતુ ન હતું. જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી. સરકાર દ્વારા પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને સાંભળી આ મામલે નિરાકરણ લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ રજુઆત ધ્યાને લઇને રૂ. 348 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હવે પાણીની સમસ્યા દૂર થશે. વઢવાણ, મુળી, સાયલા તાલુકાના ગામોના તળાવ-સિમ તળાવ-ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે.
ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થયો છે. ગુજરાતના જળાશયમાં પણ પાણીની પુષ્કળ આવક થઇ છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીને લીધે સરદાર સરોવર પણ છલકાયો હતો. સરદાર સરોવર થકી ગુજરાતને પીવાનું અને ખેડૂતોને સિચાઇ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યુ છે. ચાલુ સિઝનમાં ઉનાળામાં રાજ્યમાં પાણીની તંગી રહેવાની શક્યતા ઓછી છે. જેને પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવાનું પુરતુ પાણી મળી રહેશે. સિંચાઇ માટે પણ પાણી સરકાર આપી શકે છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ નહેર આધારિત સિચાઇ પાણી પુરુ પાડવામાં આવે છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા આ પાણી અપાશે.
નોધનીય છે કે, રાજ્યમાં નર્મદા કેનાલ છેવાડાના વિસ્તાર સુધી પહોચી છે. જેના મારફતે ગુજરાતમાં ગામડે ગામડે પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. વર્ષો પહેલા રાજ્યના અનેક ગામડા એવા હતા જ્યા પાણી માટે વલખા મારવા પડતા હતા. આજે કેનાલો પહોચતા પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ છે. તેમજ અનેક ગામોમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બની છે. જેને કારણે ખેડૂતોનું જીવન ધોરણ ઉચુ આવ્યુ છે. ગામડાનો ખેડૂતો ત્રણ સીજન લેતો થયો છે જેને કારણે આર્થીક રીતે સક્ષમ બન્યો છે. સિંચાઇનું કેનાલમાં પાણી મળી રહેતા ખેડૂત ખેતીની સાથે પશુપાલનમાંથી પણ આવક મેળવી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ