બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2.8 magnitude earthquake in Navsari and Tapi district
Hiren
Last Updated: 11:07 PM, 19 October 2019
તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું ડોલવણના પદ્મડુંગરીની આસપાસ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. વારંવાર આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
નવસારીમાં એક અઠવાડિયામાં બીજો આંચકો અનુભવાયો
નવસારી જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 8.55 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 42 કિમી દૂર ઉકાઇ ગામ નોંધાયું છે. રિક્ટર સ્કીલ પર 2.8ની તીવ્રતા નોંધાઇ છે. એક અઠવાડિયામાં બીજો આંચકો અનુભવાયો છે.
મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ પણ નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું સામે આવ્યું હતું. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગઇકાલે કાલાવાડ-જામનગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલ શુક્રવારે કાલાવડ-જામનગર પંથકમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપના કારણે ગ્રામ્ય પંથકમાં દોડધામ થઇ ગઇ હતી. બાંગા, બેરાજા, ભલસાણ, સરાપાદર ગામમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતાં. તેમજ લલોઈ, ખંઢેરા અને ખાનકોટડા ગામની ધરા પણ ધ્રૂજી હતી. આ અગાઉ એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપના આંચકા આવ્યા હતાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ