બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Priyakant
Last Updated: 01:22 PM, 17 February 2024
Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ એક મોટી ચર્ચાએ જોર પકડ્યું છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા શુક્રવારે 'ભારત જોડો ન્યાય યાત્રા'માં ભાગ લઈ શક્યા ન હતા. તેમણે ગેરહાજરી પાછળનું કારણ બિમારીને ટાંક્યું છે અને કહ્યું છે કે, તેણીની તબિયતમાં સુધારો થતાં જ તે આ પ્રવાસનો ભાગ બનશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી આ યાત્રાને 34 દિવસ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધી પહેલીવાર આ યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભાજપે આ યાત્રામાં તેમની ગેરહાજરી પર શંકા વ્યક્ત કરી છે અને તેની પાછળ ભાઈ-બહેનના સંબંધોમાં ખટાશ હોવાનો આક્ષેપ કર્યો છે.
શું કહ્યું પ્રિયંકા ગાંધીએ ?
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને તેમની તબિયત ખરાબ હોવાની અને હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું, હું ઉત્તર પ્રદેશ પહોંચવાની 'ભારત જોડો ન્યાય યાત્રા'ની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ બીમારીના કારણે આજે જ મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મારી તબિયતમાં થોડો સુધારો થતાં જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ મુસાફરોને ઉત્તર પ્રદેશના મારા સહકર્મીઓ કે જેઓ મુસાફરીની તૈયારી કરી રહ્યા છે અને મારા પ્રિય ભાઈને શુભેચ્છા પાઠવું છું. જ્યારે પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને ડિહાઇડ્રેશન અને ઉબકાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
सबको अपने स्वास्थ्य का ख़्याल रखना चाहिए। जब यात्रा 2.0 शुरू हुई तब भी प्रियंका वाडरा वहाँ से नदारद थीं, और आज जब राहुल की यात्रा उत्तर प्रदेश पहुँची है, तब भी प्रियंका वहाँ नहीं रहेंगी।
— Amit Malviya (@amitmalviya) February 16, 2024
पार्टी पर मिल्कियत के लिए भाई-बहन के बीच ना पटने वाली ये खाई अब सर्वविदित है। pic.twitter.com/26KaPOBeYY
BJPએ શું કર્યો આક્ષેપ ?
પ્રિયંકા ગાંધીના આ ખુલાસા પર BJP આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શુક્રવારે પ્રિયંકા ગાંધીની પોસ્ટ પર ટિપ્પણી કરતા, તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે યાત્રા 2.0 શરૂ થઈ ત્યારે પણ પ્રિયંકા વાડ્રા ગાયબ હતા અને આજે જ્યારે રાહુલની યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી છે ત્યારે પણ પ્રિયંકા ત્યાં નહીં હોય. પક્ષની માલિકી માટે ભાઈઓ અને બહેનો વચ્ચેનું આ અસંગત અંતર હવે જાણીતું છે.
વધુ વાંચો: રામ મંદિરના કાર્યક્રમમાં અમિતાભ અને ઐશ્વર્યા દેખાઈ, ગરીબો નહીં: રાહુલ ગાંધી
નોંધનિય છે કે, આ યાત્રા ગત મહિને 14 જાન્યુઆરીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી શરૂ થઈ હતી અને પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ 20 અથવા 21 માર્ચે મુંબઈમાં સમાપ્ત થવાની છે. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે માર્ચના પહેલા પખવાડિયામાં જ મુંબઈમાં યાત્રાનું સમાપન થઈ શકે છે. આ યાત્રા શુક્રવારે સાંજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી જે 16 થી 21 ફેબ્રુઆરી સુધી પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓ અને પછી રાયબરેલી અને અમેઠીમાંથી પસાર થશે. આ પછી 22 અને 23 ફેબ્રુઆરીએ પ્રવાસ માટે આરામના દિવસો છે અને 24 અને 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યાત્રા ફરી શરૂ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir