બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Megha
Last Updated: 02:57 PM, 12 December 2023
છત્તીસગઢ બાદ ગઈકાલે મધ્યપ્રદેશને પણ તેના મુખ્યમંત્રી મળી ગયા છે. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે. સોમવારે જ્યારે બીજેપીએ તેમના નામની જાહેરાત કરી તો બધાને આશ્ચર્ય થયું. જો કે, ઘણા લોકો માને છે કે તેની પાછળ અયોધ્યાના નેપાળી બાબાના આશીર્વાદ છે. એવામાં ચાલો જાણીએ કે કોણ છે આ નેપાળી બાબા..
અયોધ્યાના નેપાળી બાબા કોણ છે?
નેપાળી બાબા ઉર્ફે આત્માનંદ દાસ સ્વામી યુપીના અયોધ્યામાં રહે છે. અહીં તેમણે રામઘાટમાં સીતારામ આશ્રમની સ્થાપના કરી છે. રાજકારણમાં તેઓ ભાજપના સમર્થક ગણાય છે. તાજેતરમાં એમને મોદીને રામનો અવતાર અને યોગી આદિત્યનાથને લક્ષ્મણ ગણાવ્યા હતા. તેઓ તાજેતરમાં રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક માટે આવતા 50 લાખ સંતોને ભોજન કરાવવાની જાહેરાતને કારણે પણ ચર્ચામાં છે.
નેપાળી બાબાએ સીએમ બનવાના આશીર્વાદ આપ્યા હતા
નોંધનીય છે કે અયોધ્યાના નેપાળી બાબાએ 2016માં ઉજ્જૈનના મહાકુંભ દરમિયાન જ ભવિષ્યવાણી કરી હતી કે મોહન યાદવ મુખ્યમંત્રી બનશે. મોહન યાદવ નેપાળી બાબાના શિષ્ય છે. એક રિપોર્ટ અનુસાર ઉજ્જૈનના મહાકુંભમાં નેપાળી બાબાએ 80 હજાર લોકોને મફત ભોજન કરાવ્યું હતું. આ સમય દરમિયાન સિંહસ્થ કુંભમાં બાબા દ્વારા આયોજિત રામ નામ જાપ મહાયજ્ઞમાં મોહન યાદવ મુખ્ય યજમાન રહ્યા હતા અને ત્યારબાદ નેપાળી બાબાએ તેમને રાજ્યના સીએમ બનવાના આશીર્વાદ આપ્યા હતા .
નેપાળી બાબાનું નામ કેવી રીતે પડ્યું
આત્માનંદ દાસ સ્વામી ઉર્ફે નેપાળી બાબાના નામ પરથી ઘણા લોકોને એવું થતું હશે કે તેઓ અયોધ્યાના રહેવાસી છે પરંતુ એવું નથી. નેપાળી બાબા અયોધ્યાના છે. તેમણે કહ્યું કે નેપાળમાં ભગવાન શ્રી રામે જ્યાં શિવધનુષ તોડ્યું તેણે ધનુષ ધામ કહેવામાં આવે છે અને ત્યાં જ એમને આશ્રમની સ્થાપના કરી છે, આ બાદ જ્યારે તે નેપાળ છોડવા લાગ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેને અહીંથી ન જવાની વિનંતી કરી અને અંતે કહ્યું કે જો તમે જતા હોવ તો નેપાળને તમારી સાથે લઈ જાઓ. આ રીતે એમનું નામ નેપાળી બાબા પડ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ