બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Ajit Jadeja
Last Updated: 09:56 PM, 26 March 2024
હોટલ સીરીઝ દરિયાગંજે 'બટર ચિકન' ની શોધને લઇ મોતી મહેલ ના માલિકો દ્વારા એક મુલાકાત દરમિયાન કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી સામે દિલ્હી હાઈકોર્ટ માં અરજી કરી છે. મોતી મહેલ ના માલિકનો દાવો છે કે તેમના પુરોગામી સ્વર્ગસ્થ કુંદનલાલ ગુજરાલે 'બટર ચિકન' અને 'દાલ મખની'ની શોધ કરી હતી, જ્યારે દરિયાગંજ બે વાનગીઓને લઇ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે પ્રશ્નો 'સંપાદકીય પરિપ્રેક્ષ્ય'માં હતા અને તેના માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.
ADVERTISEMENT
જસ્ટિસ સંજીવ નરુલાએ મોતી મહેલના માલિકોને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રકાશિત લેખોમાં આપેલા નિવેદનો અંગે તેમનું શું કહેવું છે તે કહેવા પણ કહ્યુ છે. દરિયાગંજએ કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં અપમાનજનક નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે પહેલા 'વોલ સ્ટ્રીટ જર્નલ' માં છપાયો હતો. અને પછી અન્ય વેબસાઇટ્સ દ્વારા પ્રસારિત અને ફરીથી છાપવામાં આવી હતી.
ADVERTISEMENT
દરિયાગંજની દલીલ છે કે લેખમાં પ્રકાશિત ટિપ્પણીઓ તેની રેસ્ટોરન્ટ ચેઇનની પ્રતિષ્ઠાને નુકશાન કરે છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિવેદનોથી માત્ર તેમના વ્યવસાયની બદનામી થઈ નથી પરંતુ ટ્રાયલ પરના ન્યાયી ચુકાદાને પણ પૂર્વગ્રહિત કર્યો છે, અને તેથી અન્ય પક્ષ દ્વારા તેમને પાછા ખેંચવા અને દૂર કરવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ. મોતી મહેલના માલિકોએ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લેખમાં વ્યક્ત કરાયેલી લાગણીઓ તેમના સીધા સંદેશાવ્યવહાર અથવા ઇરાદાને પ્રતિબિંબિત કરતી નથી.
કોર્ટએ તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે, “વાદી (મોતી મહેલના માલિકો) ને દાવા અને પ્રકાશિત લેખોમાં અસ્પષ્ટ નિવેદનોથી પોતાને દૂર રાખવાના તેમના પ્રયત્નોની વિગતવાર માહિતી આપતા સોગંદનામું દાખલ કરવું જોઇએ. આજથી બે અઠવાડિયાની અંદર સોગંદનામું કરવાનો સમય આપ્યો છે. ઘણા વર્ષોથી બંને રેસ્ટોરન્ટ ચેન 'બટર ચિકન' અને 'દાલ મખાની'ની શોધ કરવાનો દાવો કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં મોતી મહેલે દરિયાગંજ પર બંને વાનગીઓનો શ્રેય લેવા અને તેની માલિકીનો દાવો કરવા બદલ દાવો માંડ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT