બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Hiralal
Last Updated: 09:54 AM, 23 July 2023
આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ હશે. બીરબલ અકબરનો ખૂબ જ પ્રિય મંત્રી હતો અને તેના નવ રત્નોમાંનો એક હતો. જોકે, બિરબલનું મોત અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન થયું હતું. બાદશાહ અકબરની ભૂલના કારણે તેમને ગુમનામીનું મોત મળ્યું હતું. તેમના મૃત્યુ પછી પણ તેમના જીવિત હોવાની અફવાઓ ઉડતી રહી. જોકે, બીરબલનો મૃતદેહ ક્યારેય મળી શક્યો નહીં. આવો જાણીએ કેવી રીતે બીરબલનું મોત થયું હતું.
શમી ઝમાનના પુસ્તકમાં અપાઈ માહિતી
શમી ઝમાનના પુસ્તક 'અકબર'માં પણ બીરબલની છેલ્લી વખતની માહિતી આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે અફઘાનિસ્તાનના સ્વાત અને બાજૌરમાં કેટલાક આદિવાસીઓએ આતંક મચાવ્યો હતો. લોકો તેમની લૂંટફાટથી પરેશાન હતા. અકબરે સૌ પ્રથમ પોતાના એક સેનાપતિ ઝૈનખાન કોકાને એ કબીલાના લોકો પાસેથી લોખંડ લેવા મોકલ્યો હતો, પરંતુ તેનો પરાજય થયો હતો.કોકાએ અકબરને મદદ માટે એક પત્ર લખ્યો હતો જે પછી અકબરે બીરબલને યુદ્ધ માટે મોકલવાનો નિર્ણય કર્યો, જે ખૂબ ખોટો સાબિત થયો કારણ કે બીરબલ જેટલો વહીવટી કાર્યમાં પારંગત હતો તેટલો યુદ્ધમાં નહોતો.
કેવી રીતે થઈ બીરબલની હત્યા
એવું કહેવામાં આવે છે કે કોકાએ બીરબલ સામે કાવતરું ઘડ્યું હતું. બંને વચ્ચે પહેલાથી જ અણબનાવ હતો. બીરબલ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેને પહાડ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે અફઘાન આદિવાસીઓના હુમલામાં બીરબલનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે બીરબલ પથ્થર નીચે દટાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
બીરબલના મોત બાદ અકબરે શું કર્યું
અબુલ ફઝલે અકબરનામામાં જણાવ્યું હતું કે બીરબલના મૃત્યુ બાદ અકબરને ખૂબ જ દુઃખ થયું અને તે ઉદાસ રહેવા લાગ્યાં હતા. દિવસો સુધી તેમણે ખાધું નહોતું અને બીરબલના મોતનો ગમ મનાવ્યો હતો.
નહોતી મળી બીરબલની લાશ
બીરબલનો મૃતદેહ તેના મૃત્યુ પછી પણ મળ્યો ન હતો. અકબરે પાછળથી નક્કી કર્યું હતું કે તે બીરબલનો મૃતદેહ શોધવા માટે અફઘાનિસ્તાન જશે, પરંતુ લોકોએ તેને દિલાસો આપીને અટકાવ્યા હતા. પાછળથી એવી અફવાઓ ઉડતી રહી કે બીરબલ જીવતો છે અને હવે તે સાધુના વેશમાં રહેવા લાગ્યો છે. જોકે તે મળ્યો નહોતો અને આખરે માની લેવાયું કે બીરબલનું મોત થયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime