બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / What is the CAA? Even before it is implemented, voices of opposition are raised in the opposition

જાણવા જેવું / શું છે આ CAA? જેને લાગુ કર્યા પહેલા જ વિપક્ષમાં ઉઠે છે વિરોધના સૂર, જાણો તમામ સવાલના જવાબ

Priyakant

Last Updated: 03:01 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Citizenship Amendment Act Latest News:  વિપક્ષનું કહેવું છે કે,આ કાયદા દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમને જાણીજોઈને ગેરકાયદે જાહેર કરવામાં આવી શકે છે. બાકીના લોકો માન્ય દસ્તાવેજો વિના પણ સ્થાન મેળવી શકે છે. વિપક્ષની દલીલ છે કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે.

  • લોકસભા ચૂંટણી પહેલા CAAને લઈ મોટા સમાચાર
  • સાત દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે: કેન્દ્રીય મંત્રી 
  • ભારતીય નાગરિકતા કાયદો શું છે અને તેના અમલ પછી શું બદલાશે?

Citizenship Amendment Act : લોકસભા ચૂંટણી પહેલા CAAને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે, આગામી સાત દિવસમાં નાગરિકતા (સુધારા) કાયદો (CAA) સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. ઠાકુરે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં આયોજિત જનસભાને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું હતું. શાંતનુએ બંગાળીમાં કહ્યું, હું ખાતરી આપી શકું છું કે, આગામી સાત દિવસમાં CAA માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. આ નિવેદન બાદ ફરી એકવાર CAA સમાચારની હેડલાઇન્સમાં છે. ભારતીય નાગરિકતા કાયદો શું છે અને તેના અમલ પછી શું બદલાશે? કઈ જોગવાઈઓમાં સૌથી વધુ વાંધો છે. આવો જાણીએ આ અહેવાલમાં. 

ભારતીય નાગરિકતા (સંશોધન) અધિનિયમને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી આનો અમલ થયો નથી. CAAને લઈને દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને ઉત્તર-પૂર્વના સાત રાજ્યો તેની વિરુદ્ધ છે. વિરોધ પ્રદર્શનથી ઉત્તર પૂર્વ સૌથી વધુ પ્રભાવિત થયું છે. તોડફોડના કારણે કરોડોની સંપત્તિને નુકસાન થયું હતું. વિપક્ષે પણ આ કાયદા સામે કડક વલણ અપનાવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, એવી જાણ કરવામાં આવી હતી કે CAAના નિયમો કેન્દ્ર સાથે તૈયાર છે અને લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા તેને સૂચિત કરવામાં આવશે. 

નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણ પછી ત્રણ પડોશી મુસ્લિમ બહુમતી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી જે લોકો ડિસેમ્બર 2014 સુધી અમુક પ્રકારના અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા હતા, તેઓને ભારતીય નાગરિકતા મળશે. આમાં બિન-મુસ્લિમ લઘુમતીઓ-હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર થયો હતો પરંતુ રાજ્યસભામાં અટકી ગયો હતો. બાદમાં તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું અને પછી 2019ની ચૂંટણી આવી. ફરી મોદી સરકાર બની. ડિસેમ્બર 2019માં લોકસભામાં તેને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી 10 જાન્યુઆરી, 2020 ના રોજ મળી હતી. પરંતુ તે સમયે કોરોનાને કારણે તેમાં વિલંબ થયો હતો.

શું CAAને મંજૂરીના 5 વર્ષ પછી લાગૂ કરવામાં આવશે?
CAAને લઈને 2020 થી સતત એક્સટેન્શન લેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સંમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં 2020થી ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.

9 રાજ્યોના DMને શું સત્તા મળે છે?
છેલ્લા બે વર્ષમાં 9 રાજ્યોના 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને મોટી સત્તા આપવામાં આવી છે. DMને ત્રણ દેશોમાંથી આવતા બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે. નાગરિકતા 2021-22 માટે ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. જે 9 રાજ્યોને નાગરિકતા આપવામાં આવી છે તેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.

કોને મળશે નાગરિકતા?
નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા મળશે. આ કાયદા હેઠળ તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે.

અરજી કરવાની પ્રક્રિયા શું હશે?
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.

શા માટે વિરોધ છે? 

  • વિપક્ષનું કહેવું છે કે,આ કાયદા દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમને જાણીજોઈને ગેરકાયદે જાહેર કરવામાં આવી શકે છે. બાકીના લોકો માન્ય દસ્તાવેજો વિના પણ સ્થાન મેળવી શકે છે. વિપક્ષની દલીલ છે કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે.
  • જોકે ઉત્તરપૂર્વનું કારણ અલગ છે. તેમનું માનવું છે કે, જો બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા મળશે તો તેમના રાજ્યના સંસાધનોનું વિભાજન થઈ જશે. એક મોટો વર્ગ એવું પણ કહે છે કે ઉત્તર-પૂર્વના મૂળ લોકોને ઓળખ અને આજીવિકાના સંકટનો સામનો કરવો પડશે.
  • ઉત્તર-પૂર્વના મૂળ રહેવાસીઓ એટલે કે ત્યાં સ્થાયી થયેલા આદિવાસી લોકો CAAની વિરુદ્ધ છે. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
  • આ સાત રાજ્યોના મૂળ લોકો સજાતીય છે. તેમનો ખોરાક અને સંસ્કૃતિ ઘણી હદ સુધી સમાન છે. પરંતુ કેટલાક દાયકાઓથી અન્ય દેશોમાંથી પણ લઘુમતી સમુદાયો અહીં આવીને સ્થાયી થવા લાગ્યા. ખાસ કરીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી લઘુમતી બંગાળીઓ અહીં આવવા લાગ્યા.

શરણાર્થીઓ ઉત્તર પૂર્વમાં શા માટે સ્થાયી થયા?

  • ઉત્તર-પૂર્વ હાલમાં લઘુમતી બંગાળી હિન્દુઓનો ગઢ બની ગયો છે. તેનું કારણ પણ સામે આવ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના પૂર્વ ભાગમાં મોટી સંખ્યામાં બંગાળી ભાષી લોકો રહેતા હતા જેઓ સતત હિંસાનો સામનો કરી રહ્યા હતા. ત્યાં યુદ્ધ થયું અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. પરંતુ થોડા જ સમયમાં બાંગ્લાદેશમાં પણ હિંદુ બંગાળીઓ પર અત્યાચાર થવા લાગ્યો કારણ કે આ દેશમાં પણ મુસ્લિમ બહુમતી છે.
  • પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચારોથી કંટાળીને લોકો હિજરત કરવા લાગ્યા અને ભારત આવવા લાગ્યા. જો  આ લોકો અલગ-અલગ રાજ્યોમાં સ્થાયી થઈ રહ્યા હતા પરંતુ તેમને ઉત્તર-પૂર્વની સંસ્કૃતિ તેમની નજીક લાગી અને તેઓ ત્યાં સ્થાયી થવા લાગ્યા. પૂર્વોત્તર રાજ્યોની સરહદ બાંગ્લાદેશને અડીને આવેલી હોવાથી ત્યાંથી પણ લોકો આવે છે.

તો હવે શું બદલાશે? 
જોકે ગારો અને જૈનતિયા જેવી જાતિઓ મેઘાલયની વતની છે પરંતુ લઘુમતીઓના આગમન પછી તેઓ પાછળ રહી ગયા. દરેક જગ્યાએ લઘુમતીઓનું વર્ચસ્વ વધ્યું. એ જ રીતે ત્રિપુરામાં બોરોક સમુદાય મૂળ નિવાસી છે પરંતુ ત્યાં પણ બંગાળી શરણાર્થીઓ ભરાઈ ગયા છે. સરકારી નોકરીઓમાં પણ મોટી પોસ્ટ તેમની પાસે ગઈ છે. હવે જો CAA લાગુ થશે તો દેશવાસીઓની બાકી રહેલી તાકાત પણ ખતમ થઈ જશે. અન્ય દેશોમાંથી આવતા અને સ્થાયી થતા લઘુમતીઓ તેમના સંસાધનો કબજે કરશે. આ ડર છે જેના કારણે નોર્થ ઈસ્ટ CAAનો જોરદાર વિરોધ કરી રહ્યું છે.

આસામમાં શું ફરક પડશે?
આસામમાં 20 લાખથી વધુ હિન્દુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે. આ દાવો સ્થાનિક સંગઠન કૃષક મુક્તિ સંગ્રામ સમિતિએ વર્ષ 2019માં કર્યો હતો. અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે. 

તમે સામાન્ય રીતે નાગરિકતા કેવી રીતે મેળવી શકશો? 
કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.

વધુ વાંચો: જાણો દેશમાં ક્યારથી CAA લાગુ થશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું 'હું ગેરંટી આપું છું'

શું CAA ભાજપના એજન્ડામાં સામેલ છે ?
CAAનો અમલ ભાજપની પ્રતિબદ્ધતામાં સામેલ છે. બંગાળના બાણગાંવના BJP સાંસદ શાંતનુ ઠાકુરે CAA અંગેના તેમના નિવેદનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જે કહ્યું હતું તેને પુનરાવર્તિત કર્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર CAA લાગુ કરશે અને તેને કોઈ રોકી શકશે નહીં. શાહની ટિપ્પણીને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર નિશાન ગણવામાં આવી હતી, જેઓ CAAનો સખત વિરોધ કરી રહ્યા છે. શાહે કોલકાતામાં એક રેલીમાં ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને તુષ્ટિકરણના મુદ્દાઓ પર મમતા બેનર્જી પર તીક્ષ્ણ પ્રહારો કર્યા હતા અને લોકોને બંગાળમાંથી TMC સરકારને હટાવવા અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં CAA લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ