બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Visavdar AAP MLA Bhupat Bhayani clarified
Malay
Last Updated: 09:00 AM, 13 December 2022
ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા મીડિયામાં સમાચારો વહેતા થયા હતા કે વિસાવદર બેઠક પરથી AAPની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જે બાદ મતદારોમાં ભારે રોષ જોવા મળતા ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, હું આમ આદમી પાર્ટીમાં જ છું વફાદાર સૈનિક તરીકે રહીશ.
મતદારોના રોષનો ભોગ બનેલા ભુપત ભાયાણીએ કરી સ્પષ્ટતા
ભૂપત ભાયાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યુ કે, મારા વિશે જે ખોટો મેસેજ વાયરલ થયા છે તે મામલે સ્પષ્ટ ખુલાસો આપવા માગું છુ. હું આપ પાર્ટીનો એક વફાદાર સૈનિક છું. તેમજ જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. ત્યારે મેં જનતા સાથે કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી. તો મારા વિશે જે કોઈપણ વાત સાંભળવામાં આવે અથવા મીડિયામાં મારા વિશે સમાચાર સાંભળવામાં આવે તો વિસાવદરની જનતાને હું સ્પષ્ટ સંદેશ આપુ છું કે હું કોઈ પાર્ટીમાં જોડાવનો નથી. હું આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરવાનો છું. જેની હું આ વીડિયોના માધ્યમથી ખાતરી આપું છું.
AAPના વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ભાયાણીનો વિડીયો સંદેશ:
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) December 11, 2022
"મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા મેસેજ ફરતા થયા છે. હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. જનતાએ મારી પર વિશ્વાસ મૂકી ભવ્ય જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી" pic.twitter.com/mesUNlV6g4
વિસાવદરથી ભૂપત ભાયણી જીત મેળવવામાં સફળ રહ્યા
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.
મીડિયામાં વહેતા થયા હતા સમાચાર
ચૂંટણી જીત્યા બાદ મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે ભૂપત ભાયાણી ભાજપમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કરશે. જોકે, તેઓએ હવે આ સમાચારોને પાયાવિહોણા જણાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir