બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / વડોદરા / vadodara bharuch national highway's 4 bridge will be six lane proposal at the center
Dhruv
Last Updated: 11:57 AM, 17 September 2022
વડોદરાની કલેક્ટર કચેરી ખાતેની ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટીની બેઠકમાં આજે એવો નિર્ણય લેવાયો કે, વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજને 6 લેન કરાશે. બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'વડોદરાથી ભરૂચ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવતા 4 ઓવર બ્રિજને છ માર્ગીય કરવા દરખાસ્ત થઇ ગઇ છે.'
વડોદરા-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવેના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરવા દરખાસ્તકલેક્ટર કચેરી ખાતે યોજાયેલી દિશા કમિટિની બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે આપેલી માહિતી @CollectorVad @mpvadodara @InfoGujarat pic.twitter.com/DQ6kzO6fRd
— Info Vadodara GoG (@Info_Vadodara) September 16, 2022
નીતિન ગડકરીએ આ મામલે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો
તમને જણાવી દઇએ કે, બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પુલ હાલમાં ફોરલેન હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. આથી, તેઓએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ પરના ચાર ઓવર બ્રિજના કારણે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેઓએ આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.'
આજ રોજ કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટી ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું, જે બેઠકમાં વડોદરા ના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી. pic.twitter.com/L0FqSxBNqS
— Ranjan Bhatt (MP) (@mpvadodara) September 16, 2022
સાંસદ રંજનબેને જણાવ્યું કે, 'મહત્વનું છે કે, આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ (NHAI) ની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવી હતી. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.' ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠકમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના ત્વરિત અમલીકરણ ઉપરાંત સારી ગુણવત્તાયુક્ત કાર્યો થાય અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, જસપાલસિંહ પઢિયાર અક્ષય પટેલ, શૈલેષ મહેતા ઉપરાંત અધિક કલેક્ટર ગોપલ બામણિયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ